આ તો કેવો કલયુગ છે ભાઈ!! ઘરના કે સમાજના વિરોધના કારણે પ્રેમી પખીડાઓ ભાગીને લગ્ન કરતા હોય છે પરંતુ એવો અજીબો ગરીબો કિસ્સો સામે આવ્યો છે જેમાં છોકરા-છોકરી નહીં પરંતુ તેમના માતા-પિતા ભાગી ગયા છે.આ વાંચીને નવાઈ લાગીને, જણાવીએ કે આવું બન્યું છે. જી હા સુરતમાં 1 મહિના પછી જે છોકરા-છોકરીના લગ્ન હતા તે છોકરાના પિતા તેની થનાર પત્નીની માતા સાથે ભાગી ગયાનો કિસ્સો સામે આવ્યો છે.
આ મામલે મળતી માહિતી અનુસાર વરરાજાના પિતા અને દુલ્હનની માતાને પોતાના યુવાનાના દિવસોનો પ્રેમ યાદ આવી જતાં તેઓ 10 જાન્યુઆરીએ કથિત રીતે ફરાર થઈ ગયા, જેના કારણે બે યુવાહૈયાનું મિલન થતાં-થતાં રહી ગયું. વરરાજાના 48 વર્ષીય પિતા અને દુલ્હનની 46 વર્ષીય માતાને છેલ્લા 10 દિવસથી કોઈ ભાળ મળી નથી.
આપને જણાવી દઈએ કે વરરાજાના પિતા કતરગામના રહેવાસી છે જેઓ છેલ્લા કેટલાક દિવસથી ગાયબ થઇ ગયા છે. જ્યારે દુલ્હનની માતા નવસારીમાં રહે તેઓ પણ પોતાના ઘરથી ગાયબ છે. બંને ભાગી ગયા હોવાની આશંકાઓ વ્યક્ત કરાઈ છે, જેના કારણે બંનેના પરિવારના સભ્યો પણ ક્ષોભજનક સ્થિતિનો સામનો કરી રહ્યા છે. બંનેના પરિવારે પોલીસ સમક્ષ ગુમ થયાના ફરિયાદ નોંધાવી હતી.
મહત્વનું છે કે સગાઈ થયા બાદ છેલ્લા એક વર્ષથી યુવક અને યુવતી લગ્નની તૈયારી કરી રહ્યા હતા. તેઓ એક જ સમાજના હોવાથી સગાઈ કરતા પહેલા બંનેના પરિવારની મુલાકાત કરાવવામાં આવી હતી. જો કે, લગ્નની એક મહિનાની વાર હતી ત્યાં જ વરરાજાના પિતા અને દુલ્હનની માતા ભાગી જતાં બધા ચોંકી ગયા હતા.
જણાવી દઈએ કે વરરાજાના પિતા ટેક્સટાઈલ બિઝનેસમેન છે સાથે તેઓ પ્રોપર્ટીની ડીલ પણ કરે સાથે સાથે તેઓ પોલિટિકલ પાર્ટીના સભ્ય પણ છે, તેઓ 10 જાન્યુઆરીએ ગાયબ થયા હતા. તેઓ અને દુલ્હનની માતા યુવાનીના દિવસોથી જાણતા હતા. તેઓ કતારગામ વિસ્તારમાં પાડોશીઓ હતા અને સારા મિત્રો પણ બની ગયા હતા. તેમ જાણવા મળ્યું છે. ‘તેઓ એક સોસાયટીમાં રહેતા હતા તેથી એકબીજાને ઓળખતા હતા. આ મામેલ તેમના કેટલાક નજીકના મિત્રોએ તેઓ ભૂતકાળમાં રિલેશનમાં પણ રહ્યા હોવાની જાણકારી આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.