કાશ્મીરના પહેલગામમાં 39 જવાનને લઈને જતી બસ નદીમાં પડી છે. એમાં 7થી વધારે જવાનોનાં મોત થયાં છે. આ દુર્ઘટના બ્રેક ફેલ થવાને કારણે ઘટી છે. જવાન ચંદનવાડીથી પહલગામ જતા હતા. આ દરેક જવાન અમરનાથ યાત્રાની ડ્યૂટીમાં તહેનાત હતા. બસમાં 37 જવાન ભારત-તિબેટ સીમા પોલીસ બળના હતા અને બાકીના 2 જમ્મુ-કાશ્મીર પોલીસના હતા. આ દુર્ઘટનામાં ઘણા જવાન ઘાયલ થયા છે. તેમને એરલિફ્ટ કરી શ્રીનગર આર્મી હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. રેસ્ક્યૂ-ઓપરેશન હજી ચાલુ છે.
ચંદનવાડી પહેલગામથી 16 કિમી દૂર છે. તાજેતરમાં જ અમરનાથ યાત્રા પૂરી થઈ છે. આ યાત્રામાં તહેનાત સેનાના જવાન તેમની ટુકડીઓમાં પરત આવતા હતા. એ સમયે જ બ્રેક ફેલ થવાને કારણે બસ ખાઈમાં પડી હતી.
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ આ દુર્ઘટના પર દુુ:ખ વ્યક્ત કર્યું હતું તેમણે કહ્યું હતું કે,પહેલગામમાં દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું કે જ્યાં અમે અમારા ITBP જવાનો અને પોલીસ કર્મચારીઓના અમૂલ્ય જીવ ગુમાવ્યા છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી દિલથી સંવેદના. અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરુ છું.
આ પણ વાંચો:ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની ભયજનક સપાટી