- સુરત:શહેરમાં વધુ એક વિદ્યાર્થીનો આપઘાત
- ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત
- પિતાએ મોબાઈલ ન લાવી આપતા આપઘાત કર્યો
- આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી ન લઈ આપ્યો મોબાઈલ
હાલ ગુજરાતમાં દિવસેને દિવસે આપઘાતના કિસ્સાઓમાં નોંધપાત્ર રીતે વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને યુવાઓમાં આપઘાતનું પ્રમાણ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આજકાલના કિશોરો અને યુવકોમાં જાણે સહનશક્તિ હોય નહીં તેવું લાગી રહ્યું છે,સાવ સજીવી બાબતે આપઘાત જેવું અંતિમ પગલું ભરતા પહેલા એકવાર પણ વિચાર કરતા નથી ત્યારે આવમાં વધુ એક સગીરના આત્મહત્યા કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરતમાં ધોરણ-9માં ભણતા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. જેમાં મોબાઈલ ફોન આપઘાતનું કારણ બન્યો છે. પિતાએ પૈસા આવ્યાં બાદ ફોન અપાવવાનું કીધું હતુ.તેમાં પિતાએ મોબાઇલ ફોન ન અપાવતા કિશોરને માઠુ લાગતા આત્મહત્યા કરી છે. ત્યારે પુત્રના અણધાર્યા પગલાથી રત્નકલાકાર પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. 14 વર્ષિય કિશોરે આપઘાત કરી લેતા પરિવાર શોકમાં છવાયો છે.
આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ AMC જાગ્યુ, બ્રિજના નિરિક્ષણ માટે ખુદ કમિશનર પહોંચ્યા
આ પણ વાંચો:વલસાડ સરીગામ GIDCમાં બ્લાસ્ટ, ત્રણ કામદારના મોત: 2 લોકો ઈજાગ્રસ્ત
આ પણ વાંચો:વોડા ગામમાં લોકોએ દૂધ ભરાવવાના બદલે કરી તાળાબંધી, મંત્રીના ત્રાસથી ડેરીને તાળાં