માનસિક તણાવ/ કોરોનાની સાથે હવે માનસિક બીમારીઓએ પણ ઉચકયું માથું, રાજ્યમાં સામે આવ્યા અનેક કેસ

ચારેતરફ સમસ્યાના સમાચાર સાંભળી-વાંચી લોકો માનસિક બીમાર થઇ રહ્યા છે. દરેક વ્યક્તિ કોઈ ને કોઈ સમસ્યાને કારણે ચિંતિત છે. રોજ અમે નવા કેસ…

Gujarat Others
A 109 કોરોનાની સાથે હવે માનસિક બીમારીઓએ પણ ઉચકયું માથું, રાજ્યમાં સામે આવ્યા અનેક કેસ

હાલ કોરોના વાયરસના લીધે ઘણા અન્ય રોગો પણ સામે આવ્યા છે. જેમાંથી એક છે માનસિક તનાવ, આ જીવલેણ વાયરસના કારણે લોકોમાં માનસિક તણાવ ખુબ જ વધી રહ્યો છે. છેલ્લા બે મહિનામાં લોકોએ માનસિક બીમારીની ત્રણ લાખથી વધુ ગોળી ખાધી છે જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે, લોકો કોરોના થવાના ભય અથવા તો કોરોના કાળમાં આર્થિક તંગી વગેરેના કારણે માનસિક બીમારીના કેસમાં 15 થી 25 ટકા વધારો થયો છે. જેમાં દર્દીઓ ગભરાટ, બેચેની, પરસેવો આવવો, શરીર ઠંડું પડવું, મોતનો ડર, પલ્સ વધવા, આત્મહત્યાના વિચાર આવવા જેવી ફરિયાદ કરે છે.

આપને જણાવી દઈએ કે, શહેરના મનોચિકિત્સકો પાસે રોજના 400થી 500 દર્દી સારવાર માટે પહોંચે છે. આ તણાવ કોરોનાની દેણ છે. દર્દીઓ ગભરાટ, બેચેની, પરસેવો આવવો, શરીર ઠંડું પડવું, મોતનો ડર, પલ્સ વધવા, આત્મહત્યાના વિચાર આવવા જેવી ફરિયાદ કરે છે. ડૉક્ટરોનું માનવું છે કે દર્દીઓ એન્જાઈટી, કોરોનાનો ફોબિયા, ડિપ્રેશન, પેનિક ડિસઓર્ડર વગેરેથી પીડાઈ રહ્યા છે. આવા દર્દીની સંખ્યા કોરોનાકાળમાં 50% જેટલી વધી ગઈ છે. સુરતમાં 65થી 70 જેટલા મનોચિકિત્સક ડૉક્ટર છે. એક ડૉક્ટર પાસે 8થી 10 દર્દી પહોંચી રહ્યા છે. ડૉક્ટરો સારવાર માટે દર્દીને અલ્પ્રેક્સ, દુક્સેલ, નેક્સિટો, લોનાજોબ જેવી દવા આપી રહ્યા છે.

A 110 કોરોનાની સાથે હવે માનસિક બીમારીઓએ પણ ઉચકયું માથું, રાજ્યમાં સામે આવ્યા અનેક કેસ

સમસ્યાઓથી કંટાળ્યા

ચારેતરફ સમસ્યાના સમાચાર સાંભળી-વાંચી લોકો માનસિક બીમાર થઇ રહ્યા છે. દરેક વ્યક્તિ કોઈ ને કોઈ સમસ્યાને કારણે ચિંતિત છે. રોજ અમે નવા કેસ જોઈએ છીએ. દર્દી કહે છે કે અમે બધી તપાસ કરાવી, બધા રિપોર્ટ નોર્મલ છે છતાં આરામ નથી. – ડૉ. મુકુલ ચોક્સી, સિનિયર મનોચિકિત્સક

એન્જાઈટી, ડિપ્રેશન, પેનિક ડિસઓર્ડર અને કોરોના ફોબિયા જેવી બીમારીથી દર્દીની સંખ્યા છેલ્લા એક વર્ષમાં 50%થી વધુની થઈ છે. અત્યારે અમારી પાસે રોજ 20માંથી 10 દર્દી આવી સમસ્યા લઈને આવે છે. આ તમામ માનસિક રીતે બીમાર દર્દી હોય છે. – ડૉ. પ્રણવ પચ્ચીગર, મનોચિકિત્સક

A 111 કોરોનાની સાથે હવે માનસિક બીમારીઓએ પણ ઉચકયું માથું, રાજ્યમાં સામે આવ્યા અનેક કેસ

બીજી લહેરે બીમારી વધારી, માર્ચ પછી માનસિક દર્દી વધ્યા

કોરોનાની પહેલી લહેરમાં લૉકડાઉનને કારણે લોકો સારવાર માટે હોસ્પિટલ સુધી પહોંચ્યા નહોતા. તેઓ સમજી શકતા નહોતા કે તેઓ માનસિક રીતે બીમાર છે, પરંતુ લૉકડાઉન ખૂલ્યું કે લોકોએ અચાનક હોસ્પિટલ જવાનું શરૂ કર્યું. પછીથી કાઉન્સેલિંગ દરમિયાન જણાયું કે તેઓ માનસિક રીતે બીમાર છે. માર્ચ 2021 પછી બીજી લહેર આવી. સંક્રમણ વધ્યું અને મોત થયાં. ત્યાર પછી માનસિક રીતે બીમાર પીડિતોની સંખ્યામાં અચાનક વધારો થવા પામ્યો છે.

આ બીમારી વધી રહી છે

  • સ્કૂલ બંધ હોવાથી બાળકો સાથે વાલીઓ પણ ચીડિયા થઈ ગયા.
  • સંબંધીઓની સમસ્યાથી ચિંતિત.
  • એન્જાઇટી, ડિપ્રેશન, પેનિક ડિસઓર્ડર.
  • બીમારી વધવાનાં કારણ
  • કામ-ધંધો બંધ થવો
  • નોકરી જવાથી આર્થિક તંગી અને તેના પરિણામે પારિવારિક વિવાદ.
  • બાળકોના ભવિષ્યની ચિંતા.
  • પ્રતિબંધને કારણે હરવા-ફરવાનું બંધ.
  • કોરોનામાં પોતાના સ્વજન ગુમાવવાનું દુઃખ.
  • ગુજરાત સહિત 10 રાજ્યમાં સરવે