ત્રીજી ODI વર્લ્ડ કપ ક્રિકેટ મેચમાં ભારત અને પાકિસ્તાન આમને-સામને હતી. જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ હોય છે ત્યારે તેને જોવી ખૂબ જ રોમાંચક હોય છે. જે પણ ટીમ હારે છે, તેને પ્રેક્ષકો તરફથી આકરી ટીકાનો સામનો કરવો પડે છે અને જે જીતે છે, જનતાનો પ્રેમ મળે છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત-પાકિસ્તાનની મેચ રમાઈ રહી હતી. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય ઘણો સાચો સાબિત થયો અને પાકિસ્તાની ટીમ માત્ર 191 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જયારે ભારત પાકિસ્તાન સામે જીત મેળવી છે.
મેચ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ સ્ટેડિયમમાં બેઠા જોવા મળ્યા હતા અને ભારતીય ક્રિકેટરોને પ્રોત્સાહિત કરવા માટે વિજય સંકેત બતાવ્યા હતા. નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ બે મેચમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનને હરાવીને શાનદાર શરૂઆત કરી છે. જ્યારે પાકિસ્તાનની ટીમે નેધરલેન્ડ અને શ્રીલંકાને હરાવીને જોરદાર પ્રદર્શન કર્યું છે.
પાકિસ્તાનનું પ્રદર્શન કેવું છે?
પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ભારતને 192 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. જ્યારે મોહમ્મદ રિઝવાને 49 રન બનાવ્યા હતા. આ દરમિયાન ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા સિવાય સ્પિનર્સ કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો:ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ વચ્ચે સુરતના હીરા ઉદ્યોગ પર 4200 કરોડના વેપારની અસર
આ પણ વાંચો:ચાર જિલ્લામાં સજાનો દર વધારવા પોલીસનો પાયલોટ પ્રોજેક્ટ
આ પણ વાંચો:સેટેલાઈટમાં મહિલાએ તેના પરિવાર વિરુદ્ધ નોંધાવી FIR, જાણો શું છે મામલો
આ પણ વાંચો:EX- ગર્લફ્રેન્ડનું અપહરણ કરી નબીરાએ વટાવી બધી હદો