અરવલ્લી,
મેઘરજનગરમાં તંત્રની પોલ છતી થઇ છે. પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડ્યુ છે. જેને કારણે હજારો લીટર પાણીનો વ્યય થઇ રહ્યો છે. સ્થાનિક લોકોએ આ અંગે તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે.
પરંતુ જાડી ચામડીના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. ઉલ્લેનીય છે કે, વારંવાર તૂટીતી પાઈપલાઈનને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. એક તરફ પાણીની અછત સર્જાય રહી છે ને બીજી તરફ પાણીનો વ્યય થઇ રહ્યો છે. આખરે આ બેધ્યાન તંત્ર ક્યારે જાગશે ?