દેશમાં પાછલા 70 વર્ષથી જે મામલે વિવાદ ચાલી રહ્યો છે અને દેશભરનાં લાખો લોકોની આસ્થાનાં વિષય તરીક લેવામાં આવે છે, તે રામ જન્મભૂમી – બાબરી મસ્જીદનાં જમીન વિવાદનાં અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટ પોતાનો ચૂકાદો સંભળાવવા જઇ રહી છે. તે પૂર્વે ગુજરાત કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ આ મામલે ટ્વિટ કર્યું છે.
કોંગ્રેસનાં નેતા અર્જુન મોઢવાડિયાએ પોતાના ટ્વીટમાં ભાજપ પર નિશાન સાધતા આક્ષેપ કરતા કહ્યું છે કે “રામ મંદિર ભાજપ માટે ચૂંટણી ઢંઢેરો છે, પંરતુ દેશવાસીઓ માટે તો રામ આસ્થાનું જ પ્રતિક છે.” મોઢવાડિયા દ્વારા આ રીતે ટ્વીટ કરીને ભાજપ પર મુક પ્રહાર કરવાની કોશિશ કરવામાં આવી છે.
જો કે, આપને જણાવી દઇએ કે, કોંગ્રેસ દ્વારા પોતાની CWC બેઠક માં અયોધ્યા મામલે દરેક નેતાએ કોઇ પણ વિવાદીત નિવેદનથી દુર રહેવાની તાકીદ કરી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન