રામલાલા મુખ્ય પુજારી અને અન્ય 8 પૂજારી અને કર્મચારીઓનો પગાર ધોરણ વધારવામાં આવ્યો છે. અયોધ્યાના વિભાગીય કમિશનરે જણાવ્યું હતું કે રામલાલાને આપવામાં આવતા માસિક ભથ્થાને પણ 26,200 થી વધારીને 30 હજાર રૂપિયા કરવામાં આવ્યા છે. તે જ સમયે, મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનો પગાર હવે વધારીને 13 હજાર રૂપિયા કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય પુજારીઓ અને કર્મચારીઓના પગારમાં 500 રૂપિયા વધારો થયો છે. હવે પુજારીઓ અને કર્મચારીઓને 7,500 રૂપિયાથી લઈને 10 હજાર રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે. આ ઉપરાંત રામલાલાના પ્રસાદ માટે 800 રૂપિયા પણ વધારવામાં આવ્યા છે. 1992 પછી પહેલી વાર રામલાલાના પુજારી અને કર્મચારીઓનો પગાર એટલો વધી ગયો છે.
ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યામાં હંગામી રામ મંદિરના પૂજારીઓ અને કર્મચારીઓના ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો. અયોધ્યા મંડાલાયુકત મનોજ મિશ્રાએ અસ્થાયી મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્રદાસને ભથ્થામાં વધારો કરવાની ખાતરી આપી હતી. ભથ્થાંમાં વાર્ષિક અપૂરતા વધારા અંગે નારાજગી વ્યક્ત કરવા માટે આચાર્ય સત્યેન્દ્રદાસે તાજેતરમાં મિશ્રાને મળ્યા હતા.
રામલાલાને મળતા દાનના સંપૂર્ણ રિસીવર અયોધ્યાના કમિશનર છે. અયોધ્યા કમિશનરે આઈએએનએસને કહ્યું હતું કે મંદિરમાં પૂજા બાદ દરરોજ આપવામાં આવતા ‘પ્રસાદ’ માટેના વાર્ષિક ભથ્થામાં યોગ્ય વધારો કરવામાં આવશે. મુખ્ય પૂજારીએ કહ્યું કે કમિશનરે આ મુદ્દા પર ધ્યાન આપવાનું અને ભથ્થું વધારવાનું વચન આપ્યું હતું.
મુખ્ય પૂજારીના પગારમાં દર મહિને એક હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મુખ્ય પુજારીએ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. જ્યારે સ્ટાફના અન્ય આઠ સભ્યોના પગારમાં માત્ર મહિને 500 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સત્યેન્દ્ર દાસે આઈએએનએસને કહ્યું, ‘આ અપૂરતું છે અને અમે અમારા ભથ્થામાં નોંધપાત્ર વધારો કરવાની માંગ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.