Banaskantha News:બનાસકાંઠાના પાલનપુરથી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત નીપજ્યાં છે. જયારે આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર,પાલનપુરના માલણ ગામ પાસે કાર અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં રિક્ષામાં સવાર દંપતીનું મોત નિપજ્યું હતું. જ્યારે એક બાળક સહિત બે લોકો ઘાયલ થતા સારવાર માટે પાલનપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
જણાવીએ કે, એક રિક્ષામાં એક દંપતી તેમના બાળક સહિત બે લોકો માલણ ગામ તરફથી પાલનપુર તરફ જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતી કાર સાથે રિક્ષાનો અકસ્માત સર્જાયો હતો. બનાવના પગલે પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળ પર દોડી પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:બે ઓનલાઇન ગેમરોને આ વસ્તુ કરવી પડી ભારે, પછી થયું એવું કે….
આ પણ વાંચો:‘ભૂલ મેં કરી, તમારો ગુસ્સો PM મોદી પર ના કાઢો…’, પરષોત્તમ રૂપાલાએ ફરી ક્ષત્રિય સમાજની માફી માગી
આ પણ વાંચો:નર્મદા પરિક્રમા કરવા આવેલા 63 વર્ષીય ભક્તનું નિધન
આ પણ વાંચો:ખીચડીમાંથી વંદો નીકળ્યો, પણ રેસ્ટોરન્ટે જ ગ્રાહક વિરૂદ્ધ ફરિયાદ કરી