હાલની જનરેશનને પીઝા આરોગવા ખુબજ ગમતા હોય છે પરંતુ આ કોઈવાર તેમની માટે ઘાતક પણ સાબિત થઈ શકે છે. આપણે મોટા ભાગે જમવા માટે ફાઇવસ્ટાર હોટલ ચુઝ કરતાં હોઈએ છીએ પરંતુ ઘણી રેસ્ટોરન્ટ્સ તેંઅ નઆમ પ્રમાણે સારું ભોજન પ્રોવાઈડ નથી કરતી હાલ અમદાવાદ બાદ કામરેજના લાપીનોઝ પીઝા શોપમાં વંદો નીકળવાની ઘટના સામે આવી છે.જે જોઈને લોકો ગુસ્સે ભરાયા હતા. આવું ફૂડ સ્વાસ્થ્યને ખુબજ નુકશાન પહોંચાડે છે .
વાંદો નીકળ્યા બાદ ગ્રાહકે રેસ્ટરન્ટ કર્મચારીઓનો ઉધડો લીધો હતો કે, હલકી કક્ષા અને ગુણવત્તા ભર્યા પીઝા આવે છે તેવું કહ્યું હતું , આ સિવાય ત્યાં સાફસફાઈનું પણ ધ્યાન નથી રાખવામાં આવતું. હાલ કામરેજનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. આવું જ થોડા દિવસો અગાઉ અમદાવાદની એક પીઝા શોપમાંથયું હતું જેમાં પણ વંદો નીકળ્યો હતો.
આ વીડિયો વાયરલ થયા બાદ સંચાલકોએ ઘટનાને ગંભીર રીતે નોંધ પણ લીધી હતી.આવું પહેલા પણ થઈ ચૂક્યું છે જેમાં લોકોના જીવન સાથે ચેડા કરવામાં આવ્યા હોય માહિતી અનુશાર આ ગ્રાહકે લાપીનોઝ માંથી એક પીઝા લીધો હાતો જેમાંથી એક મૃત વંદો મળી આવ્યો છે.
જે રેસ્ટોરન્ટની મોટી બેદરકારી છે. જો તેણે પિઝા સાથે વંદો ખાધો હોત તો તેની તબિયત બગડી શકી હોત. તેના માટે કોણ જવાબદાર હશે? વહીવટી તંત્રએ સમયાંતરે આવી ખાણીપીણીની દુકાનોની તપાસ કરવી જોઈએ. જેથી કોઈના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય. પીઝામાં વાંસો નીકળ્યા બાદ યુવકે આ પિઝા સેન્ટરના રસોડામાં જઈને તપાસ કરી હતી ત્યાંથી પણ અનેક જીવડા જોવા મળ્યા હતા.આ સિવાય લોટમાં પણ ઘણા બધા જીવડાઓ જોવા મળ્યા હતા.જેથી બીજા લોકો જોડે આવું ના થાય તે માટે યુવકે વીડિયો સોશ્યલ મીડિયામાં શેર કર્યો હતો.
આ પણ વાંચો :નિર્દયતાથી હત્યા/તાલાલામાં 40 વર્ષીય યુવકની હત્યા, ઉપરા છાપરી છરીના અનેક ઘા ઝીંકયા
આ પણ વાંચો :આક્ષેપ/મહેસાણામાં ધોરણ 6, 7 અને 8ના પેપર ફૂટ્યાનો દાવો
આ પણ વાંચો :chotaudepur/છોટાઉદેપુરની સરકારી શાળામાં મધ્યાન ભોજનમાં સડેલુ અનાજ જોવા મળ્યુ