@દિવ્યેશ પરમાર
Surat News: સુરતમાં આહીર સમાજ દ્વારા રસોત્સવ યોજવામાં આવ્યો હતો. 4300 જેટલી આહીર સમાજની મહિલાઓ પરંપરાગત પોશાક પહેરી રસોત્સવમાં જોડાઈ હતી આગામી 24 ડિસેમ્બરના રોજ દ્વારકા ખાતે સમગ્ર ગુજરાત માંથી આહીર સમાજની 37, હજાર જેટલી મહિલાઓ રસોત્સવમાં પારંપરાગત રીતે જોડાઈ વ્રજવાણીની એ ઘટનાનું પુનરાવર્તન કરી વર્લ્ડ રેકોર્ડ બનાવશે.
સુરત શહેરમાં વસતા આહીર સમાજ દ્વારા રસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આહિર સમાજની મહિલાઓએ પારંપરાગત રીતે પોશાક પહેરી અંદાજિત 4300 જેટલી મહિલાઓએ વ્રજવાણીની એ ઘટનાની યાદમાં રાસની રમઝટ બોલાવી હતી એક સાથે પરંપરાગત રીતે પોશાક પહેરી રાસ રમતી હતી તે દરમિયાન તમામ શ્રીકૃષ્ણની યાદમાં ભાવવિભોર બની હતી આવનારી 23 અને 24 ડિસેમ્બરના રોજ દ્વારકા ખાતે વ્રજવાણીની એ ઘટનાને 5555 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તેની યાદમાં ભવ્ય રાસોત્સવ યોજાવા જઈ રહ્યો છે.
જેના ભાગરૂપે સુરત શહેરમાં મોટી સંખ્યામાં આહીર સમાજ ની મહિલાઓ રસોત્સવમાં જોડાઈ હતી દ્વારકા ખાતે યોજાનાર 24 ડિસેમ્બરના દિવસે સમગ્ર ગુજરાતમાંથી 37 હજાર જેટલી આહીર સમાજની મહિલાઓ પરંપરાગત રીતે પોશાક પહેરી રાતોત્સવ માં જોડાશે સમગ્ર ગુજરાત માટે આ રસોત્સવ વર્લ્ડ રેકોર્ડ સમાન બની રહેશે.. તેના ભાગરૂપે સુરતમાં રસોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:નવરાત્રીમાં કુલ આટલા હાર્ટ એટેકના ઇમરજન્સી કોલ મળ્યા
આ પણ વાંચો:HCએ GIDC પ્લોટ ટ્રાન્સફર પર GSTની કાર્યવાહી પર આપ્યો સ્ટે
આ પણ વાંચો:પાલનપુરમાં બ્રિજનો સ્લેબ ધરાશાયી મામલે 11 લોકો સામે ફરિયાદ
આ પણ વાંચો:2025 થી પીએચડી પ્રોગ્રામમાં ક્વોટા શક્ય: IIM- અમદાવાદ