કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા આજે મધ્યપ્રદેશમાં પ્રચાર કરશે. પ્રિયંકા ગાંધી મધ્યપ્રદેશમાં સતના તેમજ જિલ્લાના વિવિધ શહેરોની મુલાકાત લઈને વિધાનસભા મતવિસ્તારોમાં ચૂંટણી સભાઓ અને રેલીઓમાં ભાગ લેવા આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રચાર માટે આજે મધ્યપ્રદેશની મુલાકાતે છે. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023માં આ પ્રથમ વખત છે જ્યારે એક જ શહેરમાં અલગ-અલગ પક્ષોના બે ટોચના નેતાઓ હાજર હોય. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ વખતે મધ્યપ્રદેશમાં બંને પક્ષો વચ્ચે કેટલી ટક્કર છે.
આ સાથે જ જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસના ટોચના નેતાઓની ગતિવિધિઓને જોતા વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર છે. વ્યવસ્થા સારી રીતે કરવામાં આવી છે. પોલીસ અને વહીવટીતંત્રની અલગ-અલગ ટુકડીઓ સુરક્ષા વ્યવસ્થા પર ચાંપતી નજર રાખી રહી છે. વીઆઈપી એક્ટિવિટીને જોતા જિલ્લાભરના અનેક રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે અને અનેક રૂટ ડાયવર્ટ પણ કરવામાં આવ્યા છે.
પ્રિયંકાગાંધી આજે સવારે 10:30, સતના જિલ્લામાં આગમન કરશે. સવારે 10:55, મજગનવા (ચિત્રકૂટ વિધાનસભા) પહોંચશે. મજગનવા (ચિત્રકૂટ વિધાનસભા)માં સવારે 11 થી 12 વાગ્યા સુધી જાહેર સભામાં સંબોધન કરશે. ત્યારબાદ બપોરે રીવા ખાતે 12:25 વાગ્યે આગમન કરશે અને SAF ગ્રાઉન્ડ બપોરે 12:30 થી 01:30 સુધી જાહેર સભા કરશે.
આ પણ વાંચો:દિલ્હી-સુરતની ફ્લાઈટમાં એક યાત્રીએ કર્યું એવું કે, ત્યારબાદ તેની કરવી પડી ધરપકડ
આ પણ વાંચો:જૂનાગઢમાં મંગેતરે આપઘાત કરતાં યુવતીની પણ આત્મહત્યા
આ પણ વાંચો:CM ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વલસાડ જિલ્લાની મુલાકાતે, ઉમેદવારના સમર્થનમાં કરશે પ્રચાર
આ પણ વાંચો:ભાવનગરમાં દારૂના રૂપિયાના બદલે ઠપકો આપતા પુત્રએ પિતાની હત્યા કરી