Not Set/ ધ્રાંગધ્રાના યુવાને કેન્દ્ર સરકારની નોકરી મૂકી છેલ્લા ચાર વર્ષમાં 4000 જેટલા પશુઓને સારવાર આપી નવું જીવન આપ્યુ

આશિષભાઈ લોકોને પણ અપીલ કરી રહ્યાં છે કે, આપણે પણ એક માનવની ફરજ બજાવી તેને તકલીફ ન આપી તેનું ધ્યાન રાખી અને તે આપણા ઉપર નિર્ભર હોય ત્યારે તેને ખોરાક અને પાણી આપવાની આપણી ફરજ છે.

Gujarat Others
Untitled 229 ધ્રાંગધ્રાના યુવાને કેન્દ્ર સરકારની નોકરી મૂકી છેલ્લા ચાર વર્ષમાં 4000 જેટલા પશુઓને સારવાર આપી નવું જીવન આપ્યુ

ધ્રાંગધ્રાનો યુવાન અબોલ પશુઓની નિ:સ્વાર્થ પણે સેવા કરે છે. વધુમાં આ યુવાને છેલ્લા ચાર વર્ષમાં 3500થી 4000 જેટલા પશુઓને સારવાર આપીને પશુઓને નવું જીવન આપ્યુ છે. અને 1100 ચોરસ વાર જગ્યા ઉપર પોતે એક સારવાર કેન્દ્ર પણ ચલાવે છે સાથે અબોલ પશુઓની સેવા કરવા માટે કેન્દ્ર સરકારની નોકરી પણ મૂકી દીધી છે. પશુઓ માટે દવા તેમજ મેડિકલ વસ્તુઓ સાથે તેમને જમાડવાની વ્યવસ્થા પોતે રસોઈ બનાવીને જમાડે છે. ખરેખર બેંકની કાયમી નોકરી મૂકીને બિમાર અને ઘાયલ અબોલ પશુઓની સારવાર કરતા ધ્રાંગધ્રાના આ યુવાને દિલથી સલામ કરવાનું અચૂક મન થઇ ઉઠે.

રાજ્યના અલગ અલગ શહેરમાં રખડતા શ્વાન (કૂતરા) અને પશુઓને વિવિધ રોગ થતા હોય છે. જેની સારવાર માટે સરકાર તો કાર્ય કરી રહી છે. પણ આવી સેવા કરવા માટે લોકો પણ કાર્ય કરતા હોય છે. ત્યારે ધ્રાંગધ્રામાં રહેતા અશિષભાઈ ઠકકર છેલ્લા ચાર વર્ષથી વધુ સમયથી આવા પશુઓની સારવાર કરી રહ્યા છે. આશીષભાઈ પહેલા અબોલ પશુઓને ખવડાવવા નીકળતા હતા. ત્યારે ઘાયલ તેમજ બીમાર પશુઓને તેની સારવાર કરવા માટેનો વિચાર આવ્યો સાથે પોતાની પાસે એક શ્વાન હતું. તે ઈજાગ્રસ્ત થયું હતું. તેની સારવાર માટે તેને તકલીફ પડી હતી. તે તકલીફ બીજા પશુઓને ન પડે તે માટે પશુઓની સારવાર કરવાનું શરૂ કર્યું.

છેલ્લા ચાર વર્ષમાં 3500થી 4000 જેટલા પશુઓને સારવાર આપીને પશુઓને નવું જીવન આપ્યુ છે. ધ્રાંગધ્રા શહેરમાં ગમે ત્યારે ગમે તે સમયે આશિષભાઈને કોઈનો ફોન આવે તો તે સારવાર માટે જાય છે. તે ઉપરાંત આ પશુઓને સારવાર માટે 1100 ચોરસ વાર જગ્યા ઉપર પોતે એક સારવાર કેન્દ્ર ચલાવે છે. જરૂર પડે તો તેને પોતાના સારવાર કેન્દ્ર ઉપર લાવે છે અને તેની સારવાર કરે છે. આજના જમાનામાં કોઈ પણ પશુઓની સેવા કરવા માટે કાર્ય કરે તે સારું છે પણ આશિષભાઈ પોતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ધ્રાંગધ્રાની બ્રાન્ચમાં ક્લાર્કની ફરજ બજાવતા હતા. પણ તેમની બદલી ચોટીલા થતા તેમણે બેંકના અધિકારીને વિનંતી કરી કે હું નોકરી કરવા બહાર જઈશ તો આ પશુઓની સારવાર ન થઈ શકે માટે મને અહીંયા જ રાખવા વિનંતી કરી પણ તે શક્ય ન બનતા તેમને નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતુ.

હાલ દરરોજ નવા ચારથી પાંચ કેસ આવે અને તેની સારવાર પણ કરે છે. દર મહિને લગભગ 100થી 125 જેટલા પશુઓને સારવાર કરવામાં આવે છે અને જ્યારે 1200થી 1500 જેટલા પશુઓની સારવાર એક વર્ષમાં કરવામાં આવે છે. દરેક પશુઓ માટે દવા તેમજ તેને લગતી મેડીકલ વસ્તુઓ સાથે તેમને જમાડવાની વ્યવસ્થા તેમજ તેની રસોઈ બનાવી જાતે જ પશુઓને ખવડાવે છે.

સાથે આ પશુઓ માટે એક રજિસ્ટ્રેશન કરવામાં આવે છે તેમાં તેને ક્યો રોગ છે. તેમજ તેનો રંગ ક્યો છે અને તેની સારવાર શું ચાલી રહી છે. તેની નોંધ કરવામાં આવે છે. સાથે આશીષભાઈના કાર્યમાં સાથે બહારથી આવેલા તેના મિત્ર જે આ કાર્યથી પ્રભાવિત થઈ અને હાલ તેમને મદદરૂપ થાય છે. સાથે ગ્રામજનો પણ આશિષભાઈના આ સેવાના કાર્યને બિરદાવી રહ્યા છે.આશિષભાઈ લોકોને પણ અપીલ કરી રહ્યાં છે કે, આપણે પણ એક માનવની ફરજ બજાવી તેને તકલીફ ન આપી તેનું ધ્યાન રાખી અને તે આપણા ઉપર નિર્ભર હોય ત્યારે તેને ખોરાક અને પાણી આપવાની આપણી ફરજ છે. તેનું પાલન કરવા વિનંતી કરી હતી.

સાથે આગામી દિવસોમાં આ પશુઓ માટે પાંચ વિઘા જમીનમાં એક પશુઓની સારવાર માટે એક કેન્દ્ર ખોલવામાં આવશે. ખરેખર બેંકની કાયમી નોકરી મૂકીને બિમાર અને ઘાયલ અબોલ પશુઓની સારવાર કરતા ધ્રાંગધ્રાના આ યુવાને દિલથી સલામ કરવાનું અચૂક મન થઇ ઉઠે.