Not Set/ જામનગરથી ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન જથ્થો આવ્યો

 જિલ્લા વહીવટી તંત્રની રજૂઆત ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા આજરોજ જામનગર મધ્યેથી ૧૫-૧૭ ટન લીક્વીડ ઓક્સિજનના જથ્થા સાથેનું ટેન્કર જી.કે.જનરલ હોસ્પિટલ-ભુજ ખાતે મૂકવામાં આવ્યું છે.

Gujarat Others Trending
surat 1 જામનગરથી ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન જથ્થો આવ્યો

કચ્છમાં ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે તંત્ર હંમેશા કાર્યશીલ

કોરોનાને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. કોવીડ-૧૯ મહામારી અંતર્ગત સારવાર લઈ રહેલ દર્દીઓ માટે ઓક્સિજન સીલીન્ડર અત્યારે જાણે અમૃત સમાન બન્યું છે. જેથી ભુજ મધ્યે આવેલ જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન સપ્લાય માટે હોસ્પિટલના પરિસરમાં જ અત્યાર સુધીમાં કુલ ૩(ત્રણ) લીકવીડ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે. જેની અંદાજીત દૈનિક ક્ષમતા કુલ – ૩૦૦ થી ૩૨૦ ઓક્સિજન સીલીન્ડરો બરાબરની છે. હાલમાં જી.કે.જનરલ હોસ્પિટલના પરિસર ખાતે ચોથો લીકવીડ ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવાની કામગીરી ચાલુમાં છે. જેના થકી દૈનિક – ૨૦૦ ઓક્સિજન સીલીન્ડર બરાબરની ઓક્સિજન સપ્લાયની ક્ષમતા વધવા પામશે.

જિલ્લા વહીવટી તંત્રની રજૂઆત ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા આજરોજ જામનગર મધ્યેથી ૧૫-૧૭ ટન લીક્વીડ ઓક્સિજનના જથ્થા સાથેનું ટેન્કર જી.કે.જનરલ હોસ્પિટલ-ભુજ ખાતે મૂકવામાં આવ્યું છે. જે થકી જી.કે.જનરલ હોસ્પિટલ, ભુજ મધ્યે ઓક્સિજન સપ્લાયની કુલ ક્ષમતા આશરે ૧૫૦૦ થી ૧૭૦૦ ઓક્સિજન સીલીન્ડર બરાબર થવા પામી છે, જેથી આવનારા દિવસોમાં કોવીડ-૧૯ ના દર્દીઓ માટે છુટક ઓક્સિજન સીલીન્ડર પરની નિર્ભરતા ઓછી કરી શકાશે અને ઉપર્યુક્ત ઓક્સિજન સપ્લાય ઉપલબ્ધ કરાવવા મદદ મળી શકશે તેવું ભુજ પ્રાંત અઘિકારી મનીષ ગુરવારની દ્વારા જણાવાયું છે.