આપણે બધા જાણીએ છે કે ફળોનુ સેવન કરવુ આપણા માટે ઘણુ ફાયદા કારક છે. ન્યુટ્રિએંટ્સથી ભરપૂર ફળ આપણા સ્વાસ્થને વઘુ સારુ બનાવે છે. ઘણા એવા ફળો હોય છે જે ગુણોથી ભરપૂર હોય છે,અને તેમા ઘણા બધા પોષક તત્વોનો સમાવેશ થાય છે. એવા ફળમાંનુ એક ફળ એટલે કીવિ સ્વાદમાં ખાટૂ મીઠૂ લાગે છે. એટલા માટે તેની લોકપ્રીયતા વધી છે. આ ફળની ખાસ વાત એ છે કે કીવીવને તમે તેની છાલ ઉતારીને અને છાલ સાથે પણ ખાઇ શકો છો. તેનો ખાટો મીઠો સ્વાદ લોકોને વધુ પસંદ હોય છે. પણ તમે જાણો છો. આને ખાવાથી ઘણી બધી બીમારીઓથી રાહત મળે છે.
પોષક તત્વોથી ભરપૂર કીવી
આંખની રોશની વધારે છે : શું તમે જાણો છો. કે કીવી આંખોની રોશની માટે વધુ ફાયદા કારક છે. તેને ખાવાથી તમારી આંખોની રોશની તેજ થાય છે. અને ઝાંખુ દેખાવુ અવી ઘણી સમસ્યા દુર થઇ જાય છે.
ઇમ્યુનિટીને મજબુત બનાવે છે : જે લોકોની રોગ પ્રતિકારક ક્ષમતા કમજોર હોય અને તે લોકો વાતાવરણના લીધે તરત બીમાર પડતા હોય છે. એવામાં ઇમ્યુનિટી વધારવા માટે તમે કીવીનુ સેવન કરો.એમાં રહેલા વિટામિન-સી તમારી કોંમજોરી અને ઇમ્યુનિટીને વધારશે. અને કીવીનુ સેવન તમારા માટે અસરદાયક હોય શકે છે.
તાવ જેવી બીમારીમાં ફાયદા કારક : એંટી ઓક્સીડેંટ્સ ,વિટામિન-સી, પોટેશિયમ અને ફાઇબર જેવી ઘણી બધી પોષક તત્વોથી ભરપૂર કીવીએ ડેંગ્યુ જેવા તાવમાં લાભદાયક છે. જો તમે ડેંગ્યુ જેવા તાવની ઝપટ આવી ગયા છો. તો તમે કીવીનુ સેવન કરો ,કારણ કે ડેંગ્યુ જેવી બીમારીમાં આપણી પ્લેટરેટ ઘણી ઓછી થઇ જતી હોય છે. જેમા કીવી ખાવાથી તમારી પ્લેટરેટ વધશે.
હૃદય માટે ફાયદા કારક : કીવી ખાવાથી તમારા હૃદયનુ સ્વાસ્થય સારુ રેહશે. એમા રહેલા ફાઇબર અને પોટેશિયમ બૈડ કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં કરશે. અને ધમનીઓને મજબુત બનાવવામાં મદદ કરશે.
કબજિયાત દુર કરે : જો તમે કન્સ્ટીપેશનના દર્દી છો , તો રોજ 2 થી 3 કીવી ખાવાની. કીવી કબજિયાત જેવી બીમારીથી રાહત આપે છે.
કયા સમયે કીવીનુ સેવન કરવુ : કીવીનુ સેવન તમે બપોરે કે સાંજેની જગ્યાએ તમે સવારે 10 થી 12 વાગ્યા સુધીમાં ભરપુર માત્રમાં ખાઇ શકો છો. જો તમે તમારા સ્વાસ્થયનુ ધ્યાન રાખો છો. તો તમે તેને ભુખ્યા પેટે પણ ખાઇ શકો છો.
આ પણ વાંચોઃ સુરતના કડોદરામાં તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી
આ પણ વાંચોઃ Filmmaker/ ફેમસ ફિલ્મમેકરને મળવા આપવા પડશે લાખો રૂપિયા, શા માટે આવો નિર્ણય લીધો
આ પણ વાંચોઃ Terrorism/ ‘આતંકવાદનો ઉદ્યોગ ચલાવે છે પાકિસ્તાન’, સિંગાપોરમાં જયશંકરે કરી આકરી ટિપ્પણી
આ પણ વાંચોઃ Surat/ સુરતના ભાજપના કોર્પોરેટરનું હાર્ટ એટેકથી અવસાન