Haryana News: હરિયાણામાં આજે સવારે મહેન્દ્રગઢ જીલ્લાના કનિના દાદરી રોડમાં આવેલ ઉન્હાની ગામ પાસે બસ પલટી જતાં 6 બાળકોના મૃત્યુ થયા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. બસના ડ્રાઈવર વિરૂદ્ધ FIR નોંધવામાં આવી છે. હરિયાણાના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે. શિક્ષણમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. વાલીઓએ શાળા સંચાલકો વિરૂદ્ધ FIR કરવાની માગ કરી છે.
महेंद्रगढ़ के कनीना में स्कूल बस के दुर्घटनाग्रस्त होने से आहत हूं।मेरी संवेदनाएं उन शोक संतप्त परिवारों के साथ हैं जिन्होंने अपने मासूम बच्चे खोए हैं।
स्थानीय प्रशासन घायलों की सहायता के लिए मुस्तैद है।सभी घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं।
— Nayab Saini (मोदी का परिवार) (@NayabSainiBJP) April 11, 2024
આજે ઈદ-ઉલ-ફિત્રની રજા હોવા છતાં શાળા કાર્યરત હતી. તેમ છતાં જીએલ પબ્લિક સ્કૂલની બસ વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતી હતી ત્યારે કનિનાના ઉન્હાની ગામ પાસે પલટી ગઈ હતી. જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો અને બસ ઝાડ સાથે અથડાઈ ગઈ. કદાચ ડ્રાઈવર નશામાં હતો તેવું જાણવા મળ્યું છે.
हरियाणा के महेंद्रगढ़ में स्कूल बस का दुर्घटनाग्रस्त होना बेहद दुःखद है। मेरी संवेदनाएँ मृतक बच्चों के शोक संतप्त परिजनों के साथ है। ईश्वर उन्हें यह दुःख सहने की शक्ति प्रदान करें। स्थानीय प्रशासन के द्वारा घायल बच्चों को सहायता पहुँचाई जा रही है। उनके शीघ्र स्वस्थ होने की कामना…
— Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) April 11, 2024
માહિતી મુજબ, ડ્રાઈવરનો નશાનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે, બસના દસ્તાવેજો રિન્યૂ કરવામાં આવ્યા ન હતા. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, બસનું સર્ટિફિકેટ 6 વર્ષ પહેલા જ એક્સપાયર થઈ ગયું હતું. હાલમાં શાળા સંચાલકોની પૂછપરછ કરાઈ રહી છે.
હરિયાણાના મુખ્યમંત્રી નયાબ સૈનીએ બસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને કહ્યું કે, સ્થાનિક વહીવટીતંત્ર ઈજાગ્રસ્તોની મદદ કરી રહ્યું છે. “મહેન્દ્રગઢના કનિનામાં સ્કૂલ બસના અકસ્માતથી હું દુખી છું. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે જેમણે પોતાના માસૂમ બાળકોને ગુમાવ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર ઘાયલોને મદદ કરવા માટે તૈયાર છે. હું તમામ ઈજાગ્રસ્તોને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરું છું,” તેમણે કહ્યું. શિક્ષણ મંત્રી સીમા ત્રિખાએ જણાવ્યું હતું કે, રજાના દિવસે શાળા કેમ કાર્યરત હતી તે જાણવા માટે પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: કોંગ્રેસ નેતા નાના પટોલેની કાર સાથે ટ્રક અથડાતા સર્જાયો ભયંકર અકસ્માત, ‘ઇરાદાપૂર્વક’ ટક્કરનો આક્ષેપ
આ પણ વાંચો: હરિયાણામાં સ્કૂલ બસ પલટી જતાં 5 બાળકોના મોત, 15થી વધુ લોકો ઘાયલ
આ પણ વાંચો: PM મોદીએ ચીન પર કહી મોટી વાત, સૌહાર્દપૂર્ણ સંબંધો ભારત સહિત વિશ્વ માટે પણ મહત્વના