Not Set/ શાહરૂખ ખાનનો ખુલાસો, ‘મહાભારત’માં આ રોલ પ્લે કરશે આમીર ખાન

મુંબઇ, બોલિવૂડ સુપરસ્ટાર આમીર ખાનની હાલમાં રિલીઝ થયેલ ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિંદોસ્તાન’ બોક્સ ઓફિસ પર ખુબ જ ખરાબ રીતે ફ્લોપ પુરવાર થઈ છે. આ ફિલ્મની રિલીઝ થઇ તે પહેલાથી ચર્ચા હતી કે આમીર ખાન મહાભારત ટાઈટલથી ફિલ્મ બનાવાની તૈયારીમાં છે. આમીરના આ ડ્રીમ પ્રોજેક્ટમાં ઘણા સુપરસ્ટાર્સ જોવા મળવાના છે. આમીરનો આ પ્રોજેક્ટ ફરી એકવાર ચર્ચામાં […]

Uncategorized
aami શાહરૂખ ખાનનો ખુલાસો, 'મહાભારત'માં આ રોલ પ્લે કરશે આમીર ખાન

મુંબઇ,

બોલિવૂડ સુપરસ્ટાર આમીર ખાનની હાલમાં રિલીઝ થયેલ ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિંદોસ્તાન’ બોક્સ ઓફિસ પર ખુબ જ ખરાબ રીતે ફ્લોપ પુરવાર થઈ છે. આ ફિલ્મની રિલીઝ થઇ તે પહેલાથી ચર્ચા હતી કે આમીર ખાન મહાભારત ટાઈટલથી ફિલ્મ બનાવાની તૈયારીમાં છે. આમીરના આ ડ્રીમ પ્રોજેક્ટમાં ઘણા સુપરસ્ટાર્સ જોવા મળવાના છે.

આમીરનો આ પ્રોજેક્ટ ફરી એકવાર ચર્ચામાં છે. તાજેતરમાં શાહરૂખ ખાને આ મહાભારતમાં આમીરની ભૂમિકા વિશે ખુલાસો કર્યો છે. શાહરૂખે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે આમીર ખાન મહાભારત સીરીઝમાં ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવશે. આ વિશે પહેલાથી અટકળો લગાવામાં આવી હતી. પરંતુ હવે શાહરુખે તેની પુષ્ટિ કરી છે. જો કે, આમીર પોતે અથવા તેમની ટીમથી આ વિશે પુષ્ટિ કરવામાં આવી નથી.

1528433247 1522 શાહરૂખ ખાનનો ખુલાસો, 'મહાભારત'માં આ રોલ પ્લે કરશે આમીર ખાન

ચર્ચા કરવામાં આવી હતી કે આમીર રૂ. 1000 કરોડની મોટા બજેટની મહાભારત નામની ફિલ્મ બનાવશે. આમીર ખાન છેલ્લા કેટલાક વર્ષોથી આ પ્રોજેક્ટ પર લાગેલા છે જ્યાં તેની ટીમ તેના પર સખત મહેનત કરી રહી છે. પરંતુ હવે આમીર ખાન આ ફિલ્મને એક વેબ સીરીઝ તરીકે રિલીઝ કરશે જે 7 જુદા જુદા ભાગોમાં રિલીઝ થશે.

1524034288 7744 શાહરૂખ ખાનનો ખુલાસો, 'મહાભારત'માં આ રોલ પ્લે કરશે આમીર ખાન

અહેવાલો અનુસાર, આમીર ખાન ટૂંક સમયમાં તેની ટીમ સાથે અમેરિકા જશે. આ સમય દરમિયાન તેઓ સ્ટોરીને આઈડિએટ કરવાનું કામ કરશે. તેઓ નવા કલાકારોને આ વેબ સીરીઝમાં તક આપવા માંગે છે.