ગુજરાતના પ્રખ્યાત પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 28 વર્ષ જૂના પાલનપુર NDPS કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ આજે સજા સંભળાવવામાં આવી છે. સંજીવ ભટ્ટને 20 વર્ષની કેદ અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.પાલનપુર કોર્ટે સંજીવ ભટ્ટને દોષિત ઠેરવી અલગ-અલગ 11 કલમો હેઠળ સજા અને દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો એક વર્ષની સાદી કેદની સજા કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
શું હતો સમગ્ર મામલો?
જિલ્લા પોલીસે 1996માં રાજસ્થાન સ્થિત વકીલ સુમેરસિંહ રાજપુરોહિતની NDPS એક્ટની સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરી હતી. જિલ્લા પોલીસે દાવો કર્યો હતો કે તેણે પાલનપુરની એક હોટલના રૂમમાંથી જ્યાં વકીલ રાજપુરોહિત રોકાયા હતા ત્યાંથી ડ્રગ્સ જપ્ત કર્યું હતું. પૂર્વ પોલીસ અધિકારીની પત્ની શ્વેતાએ આ નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી હતી. રાજસ્થાન પોલીસે જોકે બાદમાં જણાવ્યું હતું કે બનાસકાંઠા પોલીસ દ્વારા રાજપુરોહિતને રાજસ્થાનના પાલીમાં આવેલી વિવાદિત મિલકત ટ્રાન્સફર કરવા દબાણ કરવા માટે ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ પોલીસ ઈન્સ્પેક્ટર આઈબી વ્યાસે 1999માં ગુજરાત હાઈકોર્ટમાં જઈને આ કેસની સંપૂર્ણ તપાસની વિનંતી કરી હતી.
2018માં ધરપકડ કરવામાં આવી હતી
ભટ્ટની સપ્ટેમ્બર 2018માં રાજ્યના ગુનાહિત તપાસ વિભાગ (CID) દ્વારા NDPS એક્ટ હેઠળ નાર્કોટિક્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે પાલનપુર સબ-જેલમાં છે. ગયા વર્ષે, ભૂતપૂર્વ IPS અધિકારીએ 28 વર્ષ જૂના ડ્રગ કેસમાં પક્ષપાતનો આરોપ મૂકીને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને ટ્રાયલને અન્ય સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની વિનંતી કરી હતી. તેણે ટ્રાયલ કોર્ટની કાર્યવાહી રેકોર્ડ કરવા માટે પણ નિર્દેશો માંગ્યા હતા. જોકે, સુપ્રીમ કોર્ટે ભટ્ટની અરજી ફગાવી દીધી હતી.
કોણ છે સંજય ભટ્ટ?
આઈઆઈટીમાંથી અભ્યાસ કરી ચૂકેલા સંજીવ ભટ્ટ 1988માં પોલીસ સેવામાં જોડાયા હતા, તેઓ ગુજરાત કૅડરના આઈપીએસ હતા. 2002ના ગુજરાત રમખાણોમાં તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકાનો આરોપ લગાવતી એફિડેવિટ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે આરોપોને ફગાવી દીધા હતા. આ પછી 2011માં સંજીવ ભટ્ટને સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઓગસ્ટ 2015 માં, તેમને ‘અનધિકૃત ગેરહાજરી’ માટે ગૃહ મંત્રાલય દ્વારા બરતરફ કરવામાં આવ્યા હતા.સંજય ભટ્ટનો વિવાદ સાથે બહુ જુનો નાતો રહ્યો છે.સંજીવ ભટ્ટ જ્યારે ગોધરાકાંડના મામલે આક્ષેપ કરી રહ્યા હતા ત્યારે તેમને એક સુરક્ષાકર્મી સાથે ઝઘડો થયો હતો. આ દરમિયાન તેમણે સુરક્ષાકર્મીને લાફો મારી દીધો અને તેની ફરિયાદ પણ નોંધાઈ હતી. માત્ર એટલું જ નહીં, સંજીવ ભટ્ટે પોતાના મેમનગર પાસે આવેલા બંગલોમાં ગેરકાયદે બાંધકામ કર્યું હતું. જેને લઇ ખૂબ વિવાદ થયો હતો.
આ પણ વાંચો:સુરતના નાનપુરામાં 400 રૂ. માટે મિત્ર એ જ નિર્દયીપણે મિત્રની કરી હત્યા, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
આ પણ વાંચો: બોટાદમાં ટ્રેન નીચે પડતું પિતા-પુત્રએ કર્યો આપઘાત