Food Poisoning: ફૂડ પોઈઝનિંગના અન્ય એક શંકાસ્પદ કેસમાં, એક 20 વર્ષીય યુવતીનું કથિત રીતે ‘કુઝિમંથી’ – કેરળમાં સ્થાનિક હોટેલમાંથી બિરયાની વાનગી ખાવાથી મૃત્યુ થયું છે. પોલીસે જણાવ્યું હતું કે કાસરગોડ નજીક પેરુમ્બલાની અંજુ શ્રીપાર્વતીએ ‘કુઝિમંથી’ ખાધી હતી જે તેણે 31 ડિસેમ્બરે કાસરગોડ ખાતે રોમાનિયા નામની રેસ્ટોરન્ટમાંથી ઓનલાઈન ખરીદી હતી અને ત્યારથી તેની સારવાર ચાલી રહી હતી.
આ પણ વાંચોઃ Rishabh Pant/ રિષભ પંત પર મુંબઈમાં ઘૂંટણનું સફળ ઓપરેશન
“તેના માતા-પિતાએ ફરિયાદ નોંધાવ્યા પછી કેસ નોંધવામાં આવ્યો છે. છોકરીનું શનિવારે વહેલી સવારે Food Poisoningથી મૃત્યુ થયું હતું,” પોલીસે પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે ફોરેન્સિક રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. Food Poisoningનો ભોગ બનેલી યુવતીની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, જ્યાંથી તેને કર્ણાટકના મેંગલુરુ ખાતેની બીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. દરમિયાન રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
આ પણ વાંચોઃ જોશીમઠ પહોંચ્યા મુખ્યમંત્રી, ભૂસ્ખલનનું કર્યું નિરીક્ષણ, સીએમને જોઈ અસરગ્રસ્તો રડ્યા
આ ઘટના અંગે ફૂડ સેફ્ટી કમિશનરને Food Poisoning રિપોર્ટ દાખલ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. ડીએમઓ ઘટના અને છોકરીને આપવામાં આવતી સારવારની પણ તપાસ કરી રહ્યા છે,” શ્રીમતી જ્યોર્જે પથાનમથિટ્ટા ખાતે પત્રકારોને જણાવ્યું હતું. તેમણે કહ્યું કે જે હોટેલો પર Food Poisoningનો આરોપ છે, તે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ (FSSA) હેઠળ રદ કરવામાં આવશે. આ અઠવાડિયાની શરૂઆતમાં, કોટ્ટાયમ મેડિકલ કોલેજની એક નર્સ કોઝિકોડમાં એક ભોજનશાળામાંથી ખોરાક ખાવાથી કથિત રીતે મૃત્યુ પામી હતી.
આ પણ વાંચો