રાજકોટની શિવાનંદ હોસ્પિટલમાં લાગેલી આગના કારણે પંદર દિવસ પહેલા છ જણા આગમાં જીવતા ભૂંજાઈ ગયા હતા.આ મામલે સુપ્રીમે સુઓમોટો કરી અને નોંધ લીધી હતી ત્રણ દિવસ પહેલા આગનો રિપોર્ટ ત્રણ દિવસમાં સુપ્રીમ કોર્ટમાં રજુ કરવા રાજ્ય સરકારને આદેશ કર્યો હતો. જેના પગલે રાજ્ય સરકારે રાજકોટની કોવિડ હોસ્પિટલની આગનો રિપોર્ટ રજૂ કર્યો છે.આ રિપોર્ટની અંદર સરકારે કરેલી સ્પષ્ટતા અંગે આવતીકાલે વિગતોની જાણ કરવામાં આવશે.
Corporation / રાજકોટ મનપામાં વહીવટદારોની વિદાય, પદાધિકારીઓ પાસેથી કાર લેવા…
સુપ્રીમ કોર્ટે સુઓમોટો લઈને જણાવ્યું હતું કે અત્યંત આઘાતજનક ઘટના છે કે આવું પહેલી વખત નથી બન્યું. માત્ર રાજકોટ જ નહિ અમદાવાદની હોસ્પિટલમાં પણ આગ લાગી હતી તેમ જ રાજ્યમાં આવી આગની ઘટના બની રહી છે ત્યારે સરકાર શું કરી રહી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે રાજ્ય સરકારે આ બાબત માટે કયા કડક પગલાં લીધા હતા તે બાબતની સ્પષ્ટતા ત્રણ દિવસની અંદર કરવામાં આવે.
healing / આયુર્વેદ અને સાઉન્ડ હીલિંગનો જાદુ, 84 વર્ષના દર્દીની કોરોના …
આવી આગજનીની ઘટના રાજ્યમાં કોઈપણ સ્થળે ઘટતી હોય ત્યારે સરકાર દ્વારા દુર્ઘટનાનું કારણ નહીં પરંતુ આવી ઘટના ન ઘટે તે માટે ચોક્કસ પગલાં લેવા જોઈએ. તેમજ આગજનીનું સાચું કારણ શોધવું જોઈએ. આ બાબતને સરકારને ખૂબ જ ગંભીરતાથી લેવા માટે કહેવામાં આવ્યું હતું. માત્ર તપાસ કરી અને સંતોષ નહીં માનો ચોક્કસ પગલાં પણ ભરો.
political analysis / કેરલ માટે 2021 માં પરિવર્તન કે પૂનરાવર્તન ?…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…