Not Set/ મ્યુનિસિપલ દ્વારા નર્મદા કેનાલમાં જંતુનાશકોનું પ્રમાણ ચકાસવા મુકાશે મશીન

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સના પૃથક્કરણ કરવાની દિશામાં કરોડો રૂપિયાના ખર્ચે બે મશીન ખરીદવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. કાલે મળેલી વોટર સપ્લાય કમિટી સમક્ષ તંત્રની સેન્ટ્રલ લેબોરેટરી દ્વારા પીવાના પાણી સંબંધિત પૃથક્કરણ માટે ગેસ ક્રોમેટોગ્રાફી, ઓટોમેટિક ફોર હેડ ટેસ્ટ ટ્યૂબ ફિલિંગ મશીન જેવા વૈજ્ઞાનિક […]

Top Stories Ahmedabad Gujarat
solar1 મ્યુનિસિપલ દ્વારા નર્મદા કેનાલમાં જંતુનાશકોનું પ્રમાણ ચકાસવા મુકાશે મશીન

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સના પૃથક્કરણ કરવાની દિશામાં કરોડો રૂપિયાના ખર્ચે બે મશીન ખરીદવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે.

કાલે મળેલી વોટર સપ્લાય કમિટી સમક્ષ તંત્રની સેન્ટ્રલ લેબોરેટરી દ્વારા પીવાના પાણી સંબંધિત પૃથક્કરણ માટે ગેસ ક્રોમેટોગ્રાફી, ઓટોમેટિક ફોર હેડ ટેસ્ટ ટ્યૂબ ફિલિંગ મશીન જેવા વૈજ્ઞાનિક સાધન ખરીદવા સંદર્ભે સૌથી ઓછા ભાવના એપલેબ એન્જિકેમના અંદાજી ભાવથી એક ટકા ઓછા ભાવના એટલે કે રૂ. 1.44 કરોડના ટેન્ડરને મંજૂરી માટે મુકાયું હતું.

જાણકાર સૂત્રોનું કહેવાનું છે કે નર્મદા કેનાલના પાણીમાં ભળતા કાર્સિનોજંકસ જેવા પેસ્ટિસાઇડ્સથી આવું પાણી પીનાર વ્યકિતને લાંબા ગાળે કોઇ પણ પ્રકારનું કેન્સર થઇ શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પીવાના પાણીના પૃથક્કરણ હેતુની સરકારી લેબ માટે નિર્ધારિત કરેલા માપદંડ મુજબ વિવિધ વૈજ્ઞાનિક સાધન જરૂરી હોઇ તે માટે તંત્ર દ્વારા કવાયત આરંભાઇ છે.

આ ઉપરાંત પાણીમાંના બેકટેરિયા ચકાસવા માટે વપરાતી ટેસ્ટ ટ્યૂબની ઝડપભેર સફાઇ કરવા માટેનું અત્યાધુનિક મશીન પણ ખરીદાશે. આ મશીનથી એક સાથે પાંચથી છ હજાર ટેસ્ટ ટ્યૂબ સાફ કરી શકાશે, જેના કારણે તંત્ર દ્વારા પીવાના પાણીના સેમ્પલની ચકાસણીમાં ગતિ આવશે.