મહેસાણાની સાફ્રોની હોટલમાં આ શિબિર શરુ થઈ છે. મળતી માહિતી મુજબ, જિલ્લાનાં હોદેદારોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. ગુજરાતમાં હારનું કારણ ટીકીટની ખોટી વહેચણી છે. મહેસાણામાં ખાતે કોંગ્રેસની બે દિવસની બેઠક મળી રહી છે.વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ સરકાર બનાવવાથી દુર રહી, શા કારણે ઉમદેવારો હાર્યા. તે સંદર્ભે ચર્ચા કરવામાં આવી રહી છે. આ બેઠકમાં, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા જેવાં મોટા નેતાઓ ઉપસ્થિત છે.