કલોલ,
કલોલના વાસજડા ગામના એક ભૂવાએ પરિણીતા સાથે બળાત્કાર કરતાં ચકચાર મચી જવા પામી છે. વાસજડા ગામમાં રમણજી ફુલાજી ઠાકોર (ભુવા) એ એક દંપતીને લગ્ન બાદ એક વર્ષ સુધી સંતાન ન થતાં તાંત્રિક વિધીના માટે કહ્યું હતું. જ્યારે આ દંપતી તેમના પાસે પહોંચ્યું ત્યારે ભુવાએ તાંત્રિક વિધીના નામે પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. એટલુ જ નહીં ભૂવાએ યુવતીને ધમકી આપી કે,જો આ વાત કોઈને કહેશો તો માતાજી રુઠશે.
મળતી માહિતી અનુસાર, આ દંપતીને બાળક થતુ ન હતું. એક વર્ષ સુધી સંતાન ન થતા તેઓ રમણજી પાસે પહોંચ્યા હતા. દંપતી છ મહિના સુધી આ ભૂવા પાસે દર રવિવારે દર્શન કરવા માટે ત્યાં આવું એવું કહ્યું હતું. તેથી તેઓએ દર રવિવાર ભરવાના શરૂ કર્યા હતા.
ત્યારે એક દિવસ ભૂવાએ દંપતીને કહ્યું કે, આ મહિલા પર ખાસ વિધી કરવી પડશે, તેના માટે તમારે મારા ઘરે આવવું પડશે. 18 ઓગસ્ટના રોજ ઘરે આવીને ભૂવાએ એકાંતમાં મહિલાને મળવાનું પતિ સામે કહ્યું હતું. વિધી કરાવવાને બહાને તે મહિલાને બંધ રૂમમાં લઈ ગયો હતો. જ્યાં તેણે કહ્યું હતું કે, જો તને સંતાન જોઈતુ હોય તો મારી ‘તારા પતિ સાથે કરે છે એવો સંભોગ મારી સાથે કર…’.
આમ, ભૂવાએ મહિલા સાથે દુષ્કર્મ આચરીને ત્યાંથી જતો રહ્યો હતો. શારીરિક સંબંધો બાંધ્યા બાદ પરિણીતાને ભૂવાએ ધમકી આપી હતી કે, આ વાત કોઈને કહેશે તો માતાજી રુઠશે. બળજબરીથી ભૂવાએ પરણીતા સાથે બાંધવાને લીધે તે ઘરમાં ગુમસુમ રહેવા લાગી હતી. આખરે પતિને તેના આ પ્રકારના વર્તનથી શંકા જતા તેણે પૂછપરછ કરી હતી, જેથી ભૂવાનો ભાંડો ફૂટ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.