સુરત,
તમે સ્મશાન ગૃહમાં લોકોને શોકમાં અને રડતા જોયા હશે. પણ તમને જાણીને નવાઇ લાગશે કે સુરતમાં મૃતક વડીલની સ્મશાન ગૃહ વખતે લોકો નાચ-ગાન કરતા જોવા મળ્યા હતા.
સુરતના જહાંગીર પુરા વિસ્તારની ઘટના છે. જ્યાં વડીલની અંતિમ ઇચ્છા પૂર્ણ કરવામાં આવી હતી. તેના પરિવારજનો દ્વારા નાચ-ગાન કરી મૃતક વડીલની અંતિમ ઇચ્છા પૂર્ણ કરી હતી.
તમે દશ્યોમાં જોઇ શકો છો કે આ મૃતકના પરિવારજનો કેવી રીતે પોતાના દુખને ભુલીને વડીલની અંતિમ ઇચ્છા પુર્ણ કરવા નાચી રહ્યા છે. નાચ-ગાન કરીને વડીલની અંતિમની ઇચ્છા પુર્ણ કરાઇ હતી..