Bollywood/ સર્જરી બાદ અમિતાભ બચ્ચને બ્લોગમાં લખ્યું – હાલ જોઈ શકતો નથી….

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને મોતિયાની સર્જરી કરાવી છે.

Entertainment
A 4 સર્જરી બાદ અમિતાભ બચ્ચને બ્લોગમાં લખ્યું - હાલ જોઈ શકતો નથી....

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને મોતિયાની સર્જરી કરાવી છે. આ માહિતી તેમણે પોતાના બ્લોગમાં આપી છે. સર્જરી બાદ અમિતાભ બચ્ચને બ્લોગ પર લખ્યું કે ખૂબ ચિંતા કરવા બદલ તમારો આભાર. આ ઉંમરે, આંખની સર્જરી ખૂબ નાજુક હોય છે. હું વાંચી શકતો નથી, આ સમયે જોઈ શકતો નથી. આંખો બંધ કરીને રાખવાની છે. તેથી ફક્ત સંગીત સાંભળવું, પરંતુ સમય વિતાવવા માટે તે સારી રીત નથી.

જણાવી દઈએ કે બિગ બીની તબિયત ખરાબ હોવાના સમાચાર બહાર આવ્યા બાદ ચાહકો ઘણા પરેશાન હતા. તેમણે તેમની ઝડપથી  રીકવરી માટે પ્રાર્થના કરી, જેના પછી બિગ બીએ તેમનો આભાર માન્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) 

અમિતાભ બચ્ચને થોડા કલાકો પહેલા પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અને કેપ્શનમાં હાથ જોડેલા ઇમોજી મુક્યા હતા.

અભિનેતાએ શનિવારે રાત્રે તેમના બ્લોગ પર સર્જરી માટે વિશે લખ્યું હતું. તેમણે સંકેત આપતા લખ્યું, “મેડિકલ કન્ડીશન…સર્જરી…લખવામાં અસમર્થ”

અમિતાભ બચ્ચને બ્લોગમાં સર્જરી વિશે માહિતી આપી હતી

 જો કે, તેમણે તબીબી સ્થિતિ વિશે કોઈ વિગતવાર માહિતી આપી ન હતી અને ન તો તેમાંથી પસાર થવાની પ્રક્રિયા વિશે વાત કરી હતી. અભિનેતાની ઝડપથી રીકવરીની પ્રાર્થના માટે ચિંતિત ચાહકો સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) 

ગયા વર્ષે બિગ બીને કોરોનાવાયરસનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જ્યાં તેમને પુત્રો અભિષેક, પુત્રવધૂ ઐશ્વર્યા અને પૌત્રી આરાધ્યા સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.