ગાંધીનગર,
ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના વેચાણ માટે રાજ્ય સરકાર નો પરવાનો હવે લેવાનો રહેશે નહીં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકારે મહત્વ પૂર્ણ નિર્ણય લેતા જાહેરાત કરી હતી.
મિનિમમ ગવર્મેન્ટ મેકઝીમમ ગવર્નન્સની એક આગવી પહેલ છે. રાજ્યમાં નવા પેટ્રોલ પંપ શરૂ કરવા ઇચ્છતા ડીલર્સને પેટ્રોલ ડીઝલના ખરીદ સંગ્રહ અને વેચાણ માટે રાજ્ય સરકારનો પરવાનો લેવાનો રહેશે નહીં.
હયાત પેટ્રોલ પંપના પરવાનનાની મુદત પુરી થતા આવો પરવાનો રીન્યુ કરાવવો નહીં પડે. દેશના 12 રાજ્યો 5 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હાલ આ પ્રથા અમલમાં છે.