ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024) શરૂ થવા જઈ રહી છે. સૌપ્રથમ, સૂર્યકુમાર યાદવની ઈજા મુંબઈ ઈન્ડિયન્સ (MI) માટે ચિંતાનો વિષય છે. દરમિયાન, T20 ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેને ઇન્સ્ટાગ્રામ પર તૂટેલા હૃદયની ઇમોજી મૂકી છે. એવા અહેવાલો છે કે મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ મેચમાં સૂર્યકુમાર યાદવની સેવાઓ મેળવી શકશે નહીં. તેને નેશનલ ક્રિકેટ એકેડમી તરફથી લીલી ઝંડી મળી નથી. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમ 24 માર્ચ, રવિવારના રોજ શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ (GT) સામે આ સિઝનની તેની પ્રથમ મેચ રમશે.
સૂર્યકુમાર હાલ પગની ઘૂંટીની ઈજામાંથી સાજો થઈ રહ્યો છે. તેને ડિસેમ્બર 2023 થી કોઈપણ પ્રકારનું ક્રિકેટ રમ્યું નથી. તેને છેલ્લે જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામે ટી20 મેચ રમી હતી, જેમાં તેણે શાનદાર સદી ફટકારી હતી. જાન્યુઆરીમાં તેની જંઘામૂળની સર્જરી થઈ હતી. તેને તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર આ અંગેની અપડેટ શેર કરી હતી. રિપોર્ટ અનુસાર, સૂર્યકુમાર યાદવને NCA તરફથી ક્લિયરન્સ મળ્યું નથી. 21 માર્ચે ફરી એકવાર તેનો ફિટનેસ ટેસ્ટ થશે.
સૂર્યકુમાર છેલ્લી 6 સીઝનથી મુંબઈ ઈન્ડિયન્સ સેટઅપના મહત્વપૂર્ણ સભ્ય છે.
સૂર્યકુમાર યાદવ છેલ્લી 6 સીઝનથી મુંબઈ ઈન્ડિયન્સ સેટઅપના મહત્વપૂર્ણ સભ્ય છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમ મેનેજમેન્ટ ઈચ્છે છે કે તે જલ્દીથી જલ્દી ફિટ થઈ જાય. સિઝનની પ્રથમ મેચ સિવાય સૂર્યકુમાર પણ અમદાવાદ જતા પહેલા તેની ટીમની બંને પ્રેક્ટિસ મેચ રમવાનો નથી. આ દરમિયાન તેણે આ સ્ટેટસ પોસ્ટ કર્યું છે.
સૂર્યકુમાર યાદવની T20 કારકિર્દી
દરમિયાન, મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ માર્ક બાઉચરે સૂર્યકુમારની ઈજા અંગે અપડેટ આપી હતી. જોકે, તેમણે એ વાતનો ખુલાસો કર્યો ન હતો કે સૂર્યકુમારને BCCI મેડિકલ સ્ટાફ તરફથી લીલી ઝંડી મળી છે કે નહીં. અત્યાર સુધી 270 T20 મેચોમાં સૂર્યકુમારે 35.55ની એવરેજ અને 152.09ની સ્ટ્રાઈક રેટથી 6969 રન બનાવ્યા છે, જેમાં 5 સદી અને 46 અડધી સદી સામેલ છે.
આ પણ વાંચો:બીજા જિલ્લામાં પતિ છે કલેકટર, પરંતુ AMC માં રોફ જોશો તો તમે પણ કહેશો….
આ પણ વાંચો:ગઈકાલ સુધી બધું બરોબર હોવાનો રંજનબેન ભટ્ટનો દાવો
આ પણ વાંચો:કેતન ઇનામદારનો બળાપોઃ પક્ષમાં નાના કાર્યકરોનું ધ્યાન રખાતું નથી