જુનાગઢ/ પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા, યુવતીના પરિવારજનોએ ઢોર માર મારતાં મોત

યુવાન સારંગપીપળી ગયો હતો અને ત્યાંથી પોતાની મોટરસાઇકલ પર પરત ફરતો હતો ત્યારે રસ્તામાંજ તેને આંતરી લઇને માર મારવામાં આવ્યો હતો.

Gujarat Others Trending
Untitled 4 પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા, યુવતીના પરિવારજનોએ ઢોર માર મારતાં મોત
  • જુનાગઢના માણાવદરમાં યુવાનની હત્યા
  • પ્રેમ પ્રકરણમાં કરાઈ યુવાનની હત્યા
  • યુવતીના પરિવારજનોએ કરી યુવાનની હત્યા
  • યુવતીના પરિજનો દ્વારા ઢોરમાર મારતા યુવાનનું મોત
  • ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી ઘટના સ્થળે

Junagadh : પ્રેમ એક એવી વસ્તુ છે જે અમુક વખત કોઈ વ્યક્તિને સગલ બનાવી નાખતી હોય છે તો અમુક વખત કોઈ વ્યક્તિના બરબાદીનું કારણ પ્રેમ બની જતો હોય છે,એવામાં વર્તમાન સમયની અંદર જો વાત કરવામાં આવે તો લોકો પ્રેમ માટે ખૂનખરાબાના માર્ગ પર પણ ઉતરી જતા હોય છે, ત્યારે આવી જ એક ઘટના જુનાગઢથી સામે આવી છે. જ્યાં પ્રેમ પ્રકરણમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, યુવક સારંગપીપીલ ગયો હતો અને ત્યાંથી મોટરસાયકલ પર પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેની પર હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે તેને સારવાર માટે માણાવદર દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાંથી જૂનાગઢ રીફર કરવામાં આવતાં રસ્તામાં જ તેનું મોત થયું હતું.

આ બનાવની જાણ થતાં જૂનાગઢ એલસીબી સારંગપીપળી ગામે પહોંચી હતી. પોલીસે આ યુવતીના પરિવારજનોની ધરપકડ કરી પૂછપરછ માટે જૂનાગઢ લાવી હતી. જો કે આ ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

આ પણ વાંચો:ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગના સાક્ષી બન્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ઈસરોના વૈજ્ઞાનિકોને પાઠવ્યા

 આ પણ વાંચો:ગુજરાતના આરોપીઓ ચમકાવે છે જેલમાં હીરા, જાણો કેટલું કમાય છે દર મહીને  

 આ પણ વાંચો:યોગી સરકારની તર્જ પર ગુજરાત સરકારનો પરિપત્ર, સરકારી અધિકારીઓએ ફરજિયાત કરવી પડશે વાત

 આ પણ વાંચો:સુરત પોલીસે અસામાજિક તત્વો સામે ઉગામ્યુ પાસાનું હથિયાર, 5 વર્ષમાં 3052 ઈસમો સામે કર્યા પાસા