health update/ લાલુ યાદવને સારવાર માટે દિલ્હી AIIMSમાં લાવવામાં આવ્યા,ખભામાં ફેંકચર

આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ સારી સારવાર માટે પટનાથી દિલ્હી પહોંચ્યા છે. તેઓ રાત્રે લગભગ 10 વાગ્યે એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી પહોંચ્યા હતા

Top Stories India
5 13 લાલુ યાદવને સારવાર માટે દિલ્હી AIIMSમાં લાવવામાં આવ્યા,ખભામાં ફેંકચર

આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ સારી સારવાર માટે પટનાથી દિલ્હી પહોંચ્યા છે. તેઓ રાત્રે લગભગ 10 વાગ્યે એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી પહોંચ્યા હતા. આ પહેલા લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવ દિલ્હી પહોંચ્યા હતા. લાલુ યાદવની પહેલા પટનાની પારસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમને અહીં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 બિહારના પૂર્વ સીએમ અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થનાનો પણ લોકો કરી રહ્યા  છે. લોકો તેમના મનપસંદ નેતાના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. બુધવારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર લાલુ પ્રસાદ યાદવની તબિયત જાણવા હોસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન નીતિશ કુમારે પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, મોટા પુત્ર અને ધારાસભ્ય તેજ પ્રતાપ યાદવ, નાના પુત્ર અને બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવ અને પુત્રી મીસા ભારતી સાથે પણ વાત કરી. નીતીશ કુમારે કહ્યું કે તબિયત બગડતી હોવાની જાણ થતાં જ અમે વાત કરી અને સ્થિતિ જાણી. તેમની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.