Satyapal Malik Statement: લાંબા સમયથી પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ વિરુદ્ધ ઝંડો ઊંચકનાર મેઘાલયના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે ફરી એકવાર શબ્દોના તીર છોડ્યા છે. પીએમ મોદી પર નિશાન સાધતા મલિકે કહ્યું કે ઈન્દિરા ગાંધીને પણ તેમના સમયમાં સર્વશક્તિમાન માનવામાં આવતા હતા પરંતુ તેમની સત્તા પણ ગઈ. એક દિવસ પીએમ મોદી પણ આ રીતે જશે, તો સારું છે કે તેઓ દેશની હાલત ન બગાડે.
સત્યપાલ મલિક રાજસ્થાન યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (RUSU)ના એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે રવિવારે જયપુર પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં દેશમાં અનેક સ્તરે લડાઈ શરૂ થશે. ખેડૂતો પોતાના હક્ક માટે ફરી આંદોલન કરશે, જ્યારે દેશના યુવાનો પણ પોતાના હક્કની માંગણી સાથે કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલશે. ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા સત્યપાલ મલિકે કહ્યું, ‘મોદીજીએ સમજવું જોઈએ કે સત્તા આવતી-જતી રહે છે. આજે કોઈ સિંહાસન પર છે, આગલી વખતે કોઈ બીજું હશે. ઈન્દિરા ગાંધી પણ એક સમયે ખૂબ જ શક્તિશાળી હતા, પરંતુ તેમની સત્તા પણ જતી રહી, જ્યારે ઘણા લોકોએ દાવો કર્યો કે તેમને કોઈ સત્તા પરથી દૂર કરી શકશે નહીં. તેવી જ રીતે, એક દિવસ તમે પણ દૂર જશો, તેથી વધુ સારું રહેશે કે પરિસ્થિતિને એટલી બગાડશો નહીં કે તેને ફરીથી સુધારી ન શકાય. સત્યપાલ મલિકએ તેમના સંબોધનમાં કેન્દ્રની નવી અગ્નિવીર યોજના પર પણ સવાલો ઉઠાવ્યા હતા. મલિકે કહ્યું કે માત્ર 3 વર્ષની સેવામાં કોઈ પણ સૈનિકની અંદર દેશભક્તિ અને બલિદાનની લાગણી કેવી રીતે આવી શકે. સરકારની આ અજ્ઞાનતાને કારણે દેશની સેના નબળી પડી શકે છે, જેનું નુકસાન આખા દેશને ભોગવવું પડશે.
સત્યપાલ મલિકે વધુમાં કહ્યું કે તેમને ખબર પડી છે કે અગ્નિવીર યોજનામાં પસંદ કરાયેલા સૈનિકોને બ્રહ્મોસ, અગ્નિ, રાફેલ જેવા સંવેદનશીલ હથિયારોને સ્પર્શ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેનાથી ત્રણેય સેનાઓમાં અગ્નિવીર અને કાયમી સૈનિકો વચ્ચે ભેદભાવ વધશે, જેના કારણે સેના બરબાદ થઈ શકે છે.
આ પણ વાંચો: સુરત/દેશના પ્રથમ માલિક આદિવાસી, ભાજપ નથી ઈચ્છતી કે તમારા બાળકો એન્જિનિયર બને,