Rajkot News: રાજકોટના જસદણ તાલુકાના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને ફૂડ પોઈઝન થઈ જતાં રાત્રે દોડધામ મચવા પામી છે. અસરગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
રાજકોટ જીલ્લાના જસદણ તાલુકામાં ગોખલાણા ગામમાં રાત્રે માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન 400 જેટલા લોકોને જમવાનું પીરસવામાં આવ્યું હતું. 400 લોકોને એકસાથે ફૂડ પોઈઝન થઈ જતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
નાના બાળકોને મોટી સંખ્યામાં અસર થવા પામી છે. લોકોનું આરોગ્ય ખરાબ થઈ જતાં રાત્રે દોડધામ મચી ગઈ હતી. હાલ અસરગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ પણ વાંચો:AMCની કામગીરી પર ચૂંટણીનો ઓછાયોઃ ઇન્ફ્રા પ્રોજેક્ટના ટેન્ડરો મુલતવી રખાયા
આ પણ વાંચો:સુરતમાં આધેડની આત્મહત્યા, 13મા માળેથી અગમ્ય કારણસર પડતું મૂક્યું