નવી દિલ્હી,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે વધી એકવાર “મન કી બાત” પર ચર્ચા કરશે. આ સાથે જ તેઓ ૫૦મી વાર આ ખાસ કાર્યક્રમ દ્વારા દેશના લોકોને સંબોધિત કરશે. આ કાર્યક્રમની શરૂઆત વર્ષ ૨૦૧૪માં કેન્દ્રમાં મોદી સરકારના ગઠન બાદ કરવામાં આવી હતી.
મન કી બાત” કાર્યક્રમની વાત કરવામાં આવે તો, આ દરમિયાન પીએમ મોદી દેશના અલગ અલગ મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કરતા હોય છે. આ કાર્યક્રમ દ્વારા તેઓ દરેક મહિનાના અંતિમ રવિવારે લોકોને સંબોધિત કરતા હોય છે.
રવિવારનો મન કી બાત”નો કાર્યક્રમ ખાસ માનવામાં આવી રહ્યો છે, કારણ કે વડાપ્રધાન માસિક રેડિયો પ્રોગ્રામનો આ ૫૦મો એપિસોડ છે. ઓલ ઇન્ડિયા રેડિયો પર સવારે ૧૧ વ્ગયે આ કાર્યક્રમ આયોજિત કરાશે.
આ એપિસોડ ઓલ ઇન્ડિયા રેડિયો ઉપરાંત દૂરદર્શનના તમામ નેટવર્ક તેમજ કેન્દ્ર સરકારના સુચના અને પ્રસારણ મંત્રાલયના ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પાર પણ લાઈવ જોઈ શકાશે.