નીતીશ કુમારની કેબિનેટે બુધવારે દારૂબંધી નિયમમાં થોડી છૂટ આપી છે. હવેથી પહેલી વાર દારૂ પિતા પકડાવા પર જેલ નહિ જવું પડે. પરંતુ દંડ ભરવો પડશે. બિહારના સોલિસિટર જનરલ લલિત કિશોરે જણાવ્યું કે નવા બિલમાં સજા પ્રાવધાનોમાં કમી કરવામાં આવી છે. સાથે જ પોલીસ કોઈને તંગ ના કરે એ માટે પણ નિયમ બનાવવામાં આવી રહ્યો છે.
પહેલી વાર દારૂ પીતા પકડાવા પર થોડી રાહત મળશે. પરંતુ દંડ ભરવો પડશે અને તત્કાલ જામીન મળશે. જોકે, દારૂ પીવા અને ખરીદવા પર પ્રતિબંધ રહેશે. આ સંશોધનનો ફાયદો એ બધાને મળશે જેઓ આ મામલામાં જેલમાં બંધ છે.કોઈ વ્યક્તિના દારૂ પીતા પકડાવા પર પરિવારના 18 વર્ષથી વધારે ઉંમરના બધા લોકોના બદલે ફક્ત પીવાવાળાને જ પકડવામાં આવશે.
જો કોઈ ભેળસેળ વાળો દારૂ વેચે છે તો આવા મામલામાં જુના નિયમની તુલનામાં વધારે સજાની જોગવાઈ કરવામાં આવી છે. કોઈ હોટલ કે દુકાનમાં દારૂ પીતા લોકો પકડાય છે તો, આખા પરિસરના બદલે ફક્ત એ રૂમ જ સીલ કરવામાં આવશે જેમાં દારૂ મળી આવ્યો હતો.
પહેલી વખત દારૂ પીતા પકડાવા પર 50 હજારનો દંડ અથવા ત્રણ મહિનાની જેલની સજા થઇ શકે છે. જયારે બીજી વાર દારૂ પીતા પક્ડાવા પર એક થી પાંચ વર્ષ સુધીની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ આપવો પડી શકે છે. આ ચોમાસુ સત્રમાં દારૂબંધી પર નવું બિલ લાવવામાં આવશે.