ગુજરાતમાં છ મહાનગર પાલિકાનાં ચૂંટણી પરિણામો આજે એટલે કે મંગળવારે (23 ફેબ્રુઆરી) આવી રહ્યા છે. રવિવારે અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર અને રાજકોટ બેઠકો પર મતદાન યોજાયું હતું. હવે સૌની નજર રાજકોટનાં પરિણામો ઉપર છે. અહી 72 બેઠકો પર ચૂંટણીનો જંગ ખેલાયો હતો, જેમા ભાજપ હાલમાં આગળ ચાલી રહ્યુ છે.
મતગણતરી: જામનગરમાં પણ ભાજપનો કેસરિયો લહેરાયો, જાણો કોંગ્રેસને કેટલી મળી બેઠક
Update :
Total -72
ભાજપ -68
કોંગ્રેસ -04
અન્ય – 00
રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપે એકવાર ફરી કેસરિયો લહેરાવ્યો છે. અહી ભાજપને 72 માંથી 68 બેઠકો પર જીત મળી છે. જ્યારે કોંગ્રેસને 4 બેઠકો પર જીત મળી છે.
- રાજકોટ મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને મળી રહી છે હાર
- આખરે કોંગ્રેસે રાજકોટમાં ખોલ્યું ખાતુ
- કોંગ્રેસનાં વશરામ સાગઠિયાની પેનલની જીત થઇ
CM રૂપાણીનાં ગઢમાં ભાજપનો કેસરિયો લહેરાયો છે. અહી કુલ 72 બેઠકોમાંથી ભાજપને 40 બેઠકો પર જીત મળી છે. જ્યારે કોંગ્રેસે હજુ ખાતુ પણ ખોલ્યું નથી. રાજકોટ વોર્ડ 17 માં ભાજપની પેનલ આગળ છે. ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસનાં પ્રમુખે હાર સ્વીકારી લીધી છે. ઉમેદવાર અશોક ડાંગરે અંતે હાર સ્વીકારી છે. જણાવી દઇએ કે, બે રાઉન્ડમાં ભાજપને લીડ મળતા કોંગ્રેસે હાર સ્વીકારી છે.
મતગણતરી: સુરતમાં AAP ની એન્ટ્રી, જાણો કયા વોર્ડમાં મેળવ્યો વિજય?
ઉલ્લેખનીય છે કે, રાજ્યની 6 મનપાની બેઠકો અને મતદાનની ટકાવારી પર નજર કરીએ તો અમદાવાદ મનપાનાં 48 વોર્ડની 192 બેઠકો પર સરેરાશ 42.30 ટકા મતદાન થયું છે, તો વડોદરા મનપાનાં 19 વોર્ડની 76 બેઠકો પર સરેરાશ 43.53 ટકા મતદાન થયું છે. આ તરફ રાજકોટ મનપાનાં 18 વોર્ડની 72 બેઠકો પર સરેરાશ 47.27 ટકા મતદાન થયું છે, તો સુરત મનપાનાં 30 વોર્ડની 120 બેઠકો પર સરેરાશ 43.82 ટકા મતદાન થયું છે. વળી ભાવનગર મનપાનાં 13 વોર્ડની 52 બેઠકો પર 43.67 ટકા મતદાન થયું છે, જ્યારે જામનગર મનપાની 16 વોર્ડની 64 બેઠકો પર 51.37 ટકા મતદાન થયું છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…