શાપર વેરાવળનાં નેશનલ કોટન ઇન્ડસ્ટ્રીમાં આગ ભીષણ લાગી હતી. અ આગ નાર્ફેડ દ્વારા ખરીદ કરાયેલ મગફળીના ગોડાઉનમાં લાગી હતી. ભીષણ આગ પર ફાયર ફાયટરોની મદદથી 18 કલાક બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ આગમાં મગફળીનો ખાસ્સો મોટો જથ્થો બળીને ખાખ થઇ ગયો છે. આ આગને કાબુમાં લેવા માટે 15 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે આગને કાબુમાં લેવા માટે પહોંચી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા 10 ટીમો સાથોસાથ SP અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.
આ ઘટના અંગે મીડીયાએ ગુજરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિવેદન માગ્યું હતું. જે અંગે નિવેદન આપતા વિજયભાઈ રુપાણીએ સ્પષ્ટીકરણ કરી જણાવ્યું હતું કે,
” આ ભીષણ આગમાં 20,000 જેટલી મગફળીની ગુણો બળીને ખાખ થઇ ગઈ છે પરંતુ આગને કાબુમાં લઇ 45,000 જેટલી ગુણો બચાવી લેવામાં આવી છે.”
વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ અંગે કલેકટર અને ડીએસપી તપાસ કરી રહ્યા છે. આ અંગે થોડી પણ જાણ થતા ચોક્કસ પણે યોગ્ય પગલાં લેવા માટે મુખ્યમંત્રીએ આસ્વાસન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ પહેલા 13 માર્ચના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ભીષણ આગ લાગી હતી. જેમાં યાર્ડનો વિપુલ જથ્થો બડી અને ખાખ થઇ ગયો હતો.