દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં EDની તપાસ હેઠળ રહેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ હવે વધી રહી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને ફરીથી સમન્સ જારી કર્યા છે. કથિત દિલ્હી લિકર પોલિસી મની લોન્ડરિંગ કેસમાં સમન્સનું પાલન ન કરવા બદલ EDની બીજી ફરિયાદ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તાજા સમન્સ જારી કરવામાં આવ્યા છે. તેમને 16 માર્ચે હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
ઇડીએ મની લોન્ડરિંગની તપાસમાં સમન્સનું પાલન ન કરવા બદલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહીની માંગ કરતી કોર્ટમાં નવી ફરિયાદ દાખલ કરી હતી. જાણકારી અનુસાર, નવી ફરિયાદ PMLAની કલમ 50 હેઠળ AAPના રાષ્ટ્રીય કન્વીનર કેજરીવાલને ED દ્વારા મોકલવામાં આવેલા સમન્સ નંબર 4 થી 8નું પાલન ન કરવા સંબંધિત છે.
EDએ 8 સમન્સ મોકલ્યા છે
EDએ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આઠમું સમન્સ મોકલ્યું હતું. EDએ 4 માર્ચે કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા હતા. EDએ કેજરીવાલને પૂછપરછમાં સામેલ થવા કહ્યું હતું પરંતુ તેઓ ED ઓફિસ ગયા ન હતા. આમ આદમી પાર્ટીએ કહ્યું કે જ્યારે મામલો કોર્ટમાં છે તો ED શા માટે વારંવાર સમન્સ મોકલી રહ્યું છે. EDએ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ.
EDએ વીડિયો કોન્ફરન્સિંગનો ઇનકાર કર્યો હતો
વારંવાર ED સમન્સનો સામનો કરી રહેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ EDના પ્રશ્નોના જવાબ આપવા માટે સંમત થયા છે. જોકે, તેણે ED પાસે 12 માર્ચ પછીની તારીખ માંગી છે. આ સાથે કેજરીવાલે બીજી શરત મૂકી છે કે તેઓ વીડિયો કોન્ફરન્સની મદદથી ED સમક્ષ હાજર થશે અને એજન્સીના સવાલોના જવાબ આપશે. પરંતુ ED દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલની શારીરિક પૂછપરછ કરવા માંગે છે. EDના સૂત્રોએ કહ્યું છે કે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પૂછપરછ કરવાની કોઈ જોગવાઈ નથી.
આ પણ વાંચો :PM Modi/કલમ 370 હટાવ્યા બાદ PM મોદી આજે પહેલીવાર જમ્મુ-કાશ્મીરની મુલાકાતે ,આપશે 5000 કરોડ રૂપિયાની ભેટ
આ પણ વાંચો :MH-60R Seahawk helicopter/‘સી હંટર’ MH-60R સીહોક હેલિકોપ્ટર ભારતીય નૌકાદળમાં જોડાયું, તેની વિશેષતાઓ જાણીને તમે દંગ રહી જશો
આ પણ વાંચો :Mallikarjun Khadge/“પીએમ મોદીએ તમને કેમ…..?” કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શિવરાજ સિંહ ચૌહાણ પર નિશાન સાધ્યું