દેશમાં વધી રહેલા કોરોનાના પ્રકોપની વચ્ચે હવે રાજ્ય સરકારો પણ હરકતમાં આવી ગઇ છે. હોળીના તહેવારોની ઉજવણી માટે ગુજરાત સહિત છ રાજ્યની સરકારે ખાસ પ્રતિબંધ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. હવે કોરોનાના કહેર થી બચવા માટે બેંગ્લોર સરકારે મહત્વનું પગલું ભર્યું છે. મહારાષ્ટ્ર પંજાબ અને કેરળ બાદ બેંગલોરમાં પણ 1 એપ્રિલ 2021 થી કોઈપણ રાજ્યમાં થી બેંગ્લોર માં એન્ટ્રી માટે RTPCR નેગેટીવ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ હોવો જરૂરી છે.
કોરોનાગ્રસ્ત / રાજકોટમાં એક કાર્યક્રમમાં ભાગ લીધા પછી GTUના કુલપતિ ડો. નવીન શેઠ થયા કોરોના ગ્રસ્ત,સ્ટાફમાં ફફડાટ
આરોગ્ય મંત્રાલય પાસેથી જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ ગુરુવારે કર્ણાટકમાં 2523 આવ્યા હતા જેમાંથી માત્ર બેંગલોરમાં જ 1623 કેસ નોંધવામાં આવ્યા હતા. જેના પગલે બેંગલોરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. બેંગ્લોર શહેરમાં નોંધવામાં આવતા કોરોનાના કેસમાંથી 60% કેસો આંતરરાજ્ય મુસાફરોના છે.
સાચવજો સંક્રમણ વધ્યું / અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો, વધુ આટલાનો થયો ઉમેરો
આ બાબતને ધ્યાનમાં લઈને હવેથી કોઈપણ રાજ્યમાં થી બેંગ્લોર માં એન્ટ્રી માટે RTPCR નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ જરૂરી છે. તમામ બેંગ્લોર માં પ્રવેશતા લોકોને રિપોર્ટ માં ગ્રીન સિગ્નલ મળ્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. અને આ નિયમ બેંગ્લોર રહેવાસીઓને પણ લાગુ પડશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…