દેશની સૌથી મોટી સાર્વજનિક ક્ષેત્રની બેંક એસબીઆઈએ વ્યાજ દર ઘટાડ્યા બાદ હવે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા તથા દેના બેંક પણ સેવિંગ એકાઉન્ટના વ્યાજ દર 0.50 ટકા ઓછા કરશે. આનો આર્થ એ થશે કે હવેથી બેંક ડિપૉઝિટપર અડધા ટકા કરતાં પણ ઓછું વ્યાજ મળશે. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ 50 લાખ રૂપિયા સુધીની ડિપૉઝિટ ઉપર વ્યાજદરમાં 0.50 ટકા સુધઈનો કાપ મૂકીને 3.5 ટકા કરી દીધ છે.
સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયાના નવા દર આજેં મંગળવારથી જ લાગુ પાડી દેવામાં આવ્યા છે. તો દેના બેંક પણ 25 લાખ રૂપિયા સુધીની ડિપૉઝિટ ઉપર અડધો ટકો વ્યાજ ઘટાડીને 3.5 ટકા કરી રહી છે.
આ ડિપૉઝિટ ઉપર મળશે 4 ટકા વ્યાજ
બીએસસીને આપવામાં આવેલી જાણકારી મુજબ સેન્ટ્ર બેંક ઑફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે 50 લાખ રૂપિયા સુધઈન બચત જમા કરી હશે તો 3.50 ટકા વ્યાજ મળશે તો જેના સેવિંગ એકાઉન્ટમાં 50 લાખ રૂપિયા કરતા વધારે રાશિ જમા હશે તેમને 4 ટકા વ્યાજ મળતું રહેશે. દેના બેંકે જણાવ્યું હતું કે 25 લાખ રૂપિયા કરતાં વધારેની જમા રાશિવાળા બચત ખાતા પર 4 ટકાના દરે વ્યાજ મળશે
ઉલ્લેખનીય છેકે દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક(SBI) બચત ખાતા ઉપર વ્યાજ દરમાં કાપ મૂક્યા બાદ ઘણી બેંક આવાં પગલાં ભરી રહીછે. બચત ખાતા પર વ્યાજ દર ઓચા કરનારી બેંકોમાં એચડીએફસી બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, એક્સિસ બેંક , યસ બેંક અને કર્ણાટક બેંકનો સમાવેશ થાય છે.