અરવલ્લી,
અરવલ્લીના ધનસુરાના ધામણિયા ગામે લોકોએ રસ્તાની સમસ્ચાને લઈને શાળાનો બહિષ્કાર કર્યો છે. ગ્રામજનો છેલ્લા 10 વર્ષથી રસ્તાની માંગને લઈને તંત્રને રજૂઆત કરી રહ્યા છે.
જેનો કોઈ ઉકેલ ન આવતા ધામણિયા ગામના વાલીઓ અને સરપંચ સહિતના આગેવાનોએ બાળકોને શાળામાં ન મોકલવાનો નિર્ણય કરી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. તો બીજી બાળકો દ્વારા શાળાનો બહિષ્કાર કરતા તંત્ર દોડતુ થયું છે અને વાલીઓ અને આગેવાનોને સમજાવાનો પ્રયત્ન કરી રહ્યા છે.