જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં લશ્કર કમાન્ડરને ઠાર માર્યો હતો. માર્યા ગયેલા લશ્કર-એ-તૈયબા (LeT) કમાન્ડરની ઓળખ નિસાર ડાર તરીકે થઈ છે. આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું કે, હાલમાં સિરહામા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં બુધવારે સુરક્ષાદળો સાથેની અથડામણમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો અંસાર ગજવાતુલ હિંદ અને લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓની ઓળખ અંસાર ગઝવાતુલ હિંદના સફત મુઝફ્ફર સોફી ઉર્ફે મુઆવિયા અને લશ્કરના ઉમર તેલી ઉર્ફે તલ્હા તરીકે કરવામાં આવી છે.
અધિકારીએ જણાવ્યું કે, બંને આ વર્ષની શરૂઆતમાં શ્રીનગરના ખોનમોહ વિસ્તારમાં સરપંચની હત્યા સહિત અનેક આતંકી કેસોમાં વોન્ટેડ હતા. બંને આતંકીઓએ તાજેતરમાં ત્રાલમાં પોતાનો અડ્ડો બનાવ્યો હતો.
આ પણ વાંચો:/ બહેનપણીને પ્રેમીએ લગ્ન કરવાની કરી મનાઈ : પાંચ બહેનપણીઓએ ઝેર ખાવામાં આપ્યો સાથ
આ પણ વાંચો:ગુજરાતમાં જોવા મળ્યો કોરોનાનો નવો XE વેરિઅન્ટનો કેસ