સંયુક્ત આરબ અમીરાત (UAE) ના નવા રાષ્ટ્રપતિની જાહેરાત કરવામાં આવી છે. શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન દેશના આગામી રાષ્ટ્રપતિ હશે. શેખ મોહમ્મદની ઉંમર 61 વર્ષ છે અને તેઓ તેના પર કબજો મેળવનારા દેશના ત્રીજા રાષ્ટ્રપતિ હશે. UAE ના પ્રમુખ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનનું શુક્રવારે નિધન થયું હતું.
UAE ના રાષ્ટ્રપતિ બાબતોના મંત્રાલયે રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનના અવસાન બાદ 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આ સાથે જ તમામ સરકારી અને ખાનગી ઓફિસો ત્રણ દિવસ બંધ રહેશે. શનિવારે માહિતી આપતા અમીરાત સમાચાર એજન્સીએ જણાવ્યું કે UAEની ફેડરલ સુપ્રીમ કાઉન્સિલે શેખ ખલીફીના અવસાન બાદ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા છે. આ સંદર્ભે કાઉન્સિલે શનિવારે શેખ મોહમ્મદની અધ્યક્ષતામાં અબુ ધાબીના અલ મુશરીફ પેલેસમાં બેઠક યોજી હતી અને તેમાં તેમને આગામી પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
જણાવી દઈએ કે શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનના નિધન બાદ ભારતે પણ એક દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે. આ સંદર્ભમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક સંદેશ જારી કરવામાં આવ્યો છે. સંદેશા અનુસાર રાજ્યના શોક દરમિયાન તમામ સરકારી ઈમારતોમાં રાષ્ટ્રધ્વજ અડધો ઝુકાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાષ્ટ્રપતિ શેખ ખલીફાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમએ કહ્યું કે તેમના નેતૃત્વમાં ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત બન્યા અને બંને દેશો વચ્ચે નિકટતા વધી.
આ પણ વાંચો: gyanvapi masjid/ ‘અમે બાબરી ગુમાવી છે, બીજી મસ્જિદ બિલકુલ નહી ગુમાવીએ : AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી