હિમાચલ પ્રદેશમાં કાંગડા જીલ્લામાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ પલટી જવાના સમાચાર મળ્યા છે. એકલવ્ય કોમ્પ્યુટર સેન્ટરના આ વિદ્યાર્થીઓ પીએમ મોદીની રેલી માટે ધર્મશાળા જઈ રહ્યા હતા.
રસ્તામાં આ દુર્ઘટના થતા આશરે ૩૫ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. ઘટનાસ્થળ પર આજુબાજુ કોઈ હોસ્પિટલ ન હોવાથી જમીન પર સુવડાઈને આ વિદ્યાર્થીઓને પ્રાથમિક ઉપચાર આપવામાં આવ્યો હતો.
હાલ ઘાયલ વિદ્યાર્થીઓની સારવાર ચાલી રહી છે. ઘાયલ થયેલા દરેક વિદ્યાર્થીઓની ઉંમર ૨૦ થી ૨૪ વર્ષની વચ્ચે છે. ઘટનાની જાણ થતા પોલીસ પહોચી ગઈ હતી.
આજે પીએમ ધર્મશાળામાં રેલીને સંબોધવાના છે.