@દિવ્યેશ પરમાર
સુરતના ડુમસ વિસ્તારમાં એક વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કરનાર પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આપઘાત ને પગલે પિયર પક્ષે સાસરિયા ને જવાબદાર ઠેરવ્યા હતા અને તેમના મોત પાછળ તેનો પતિ કારણભૂત હોવાના આક્ષેપ કર્યા હતા.
સુરતમા સતત આપઘાત ની ઘટના માં વધારો થઈ રહ્યો છે.તેવામા સુરતના ડુમસ વિસ્તાર માં આવેલ ગવીયર વિસ્તાર માં 21 વર્ષીય કરીના તેમના પતિ કિશોર સાથે પરિવાર માં રહેતી હતી અચાનક જ કરીના એ પોતાનાં ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.ઘટના બનતા પિયર પક્ષે સાસરિયા સામે ગંભીર આક્ષેપ કર્યા હતા.
એક વર્ષ પહેલા કરીના સોશિયલ મીડિયાના માધ્યમથી કિશનના સંપર્કમાં આવી હતી..ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.અને ત્યારબાદ કરીના એ માતાપિતા ની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા.પ્રેમ લગ્ન બાદ ત્રણ મહિના સુધી માતાપિતા એ કરીના ને બોલાવી ના હતી.જોકે પરિવાર માં લાડકી હોવાથી લાંબા અબોલા ચાલ્યા અને કરીના નું તેમના પરિવાર સાથે સુખદ સમાધાન થયું હતું.ત્યારબાદ કરીના પોતાના માતાપિતા ના ઘરે આવતી જતી હતી.જોકે થોડા સમય થી કરીના ખૂબ પરેશાન રહેતી હોવાનું તેમના પરિવાર જનો એ આક્ષેપ કર્યા હતા.તે સમય દરમ્યાન કરીના એ આપઘાત કરી લીધો હતો.
પરિવાર જનો એ જણાવ્યું હતું કે કરીના એ અગાઉ જણાવ્યું હતું કે તેનો પતિ કિશન મગદલ્લા પોર્ટ માં કામ કરે છે તેવું કહી ને લગ્ન કર્યા હતા પરંતુ તે ત્યાં કામ કરતો નથી અને પરિવાર ને ઘર ચલાવવા ના પણ ફાંફા છે.ત્યારબાદ કરીના ને માનસિક રિતે હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતું.જેથી કરીનાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.આપઘાત ને પગલે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.બીજી તરફ કરીનાના પરિવારના આક્ષેપ છે તેને ધ્યાને લઇ પોલીસે તે દિશા માં પણ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:સુરતમાં વાહન ચાલક સાથે મારામારી કરનાર પોલીસ કર્મીને કરાયો સસ્પેન્ડ
આ પણ વાંચો:8 વર્ષના બાળકના પિતાનું સારવાર દરમિયાન મોત, સુરત પોલીસે પૂરી પાડી પરિવારની હૂંફ
આ પણ વાંચો:અમદાવાદ-બગોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત,10 લોકોના કરુણ મોત
આ પણ વાંચો:હરિયાણામાં ગાય લેવા ગયા હતા પણ મોત લઈને આવ્યા ગુજરાતી!