ઓનલાઈન એજ્યુકેશનના કારણે આ વર્ષ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મુશ્કેલ રહ્યું છે. ઘણા વિદ્યાર્થીઓ ડિપ્રેશનનો ભોગ બની રહ્યા થો ઘણા વિદ્યાર્થીઓ કંઇક અલગ પગલું ભરી રહ્યા હોવાનું અવારનવાર સમાચારમાં આવતું રહે છે. રાજકોટ શહેરમાં વધુ એક વિદ્યાર્થિનીએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું. ઓનલાઇન અભ્યાસમાં યુવતીએ આ પગલું ભર્યું હોવાનું હાલ સામે આવ્યું છે. આ ઘટનામાં હવે ખુલાસો થયો છે. એવું કારણ બહાર આવ્યું કે માતા-પિતાની પગ નીચેથી જમીન સરકી ગઇ.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ઓનલાઇન અભ્યાસ ચૂકી જતા વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો. આટલું સામાન્ય કારણથી વિદ્યાર્થિનીએ અભ્યાસને કારણે સુસાઇડ કર્યુ છે. વિદ્યાર્થિની ધોરણ 11માં અભ્યાસ કરતી હતી.
આપને જણાવી દઇએ કે રાજકોટ શહેરના માર્કેટયાર્ડ પાસે આવેલી માલધારી સોસાયટીમાં રહેતી પ્રિયાએ ફેબ્રુઆરી મહિનામાં સવારે છ વાગ્યા આસપાસ ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે રાજકોટથી ગોંડલની સુખવાલા હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં 20 ફેબ્રુઆરીના રોજ તેનું મોત નીપજયું હતું.
ઘરમાં એક જ મોબાઈલ હોવાથી પ્રિયા અનેક વાર પોતાનો ક્લાસ મિસ કરી ગઇ હતી. જેના કારણે તે સતત ડિપ્રેશનમાં રહેતી હતી. ત્યારે આ તણાવમાં તેણીએ ઝેરી દવા પી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
લીસ દ્વારા મૃતકના માતા-પિતાના નિવેદન લેવામાં આવ્યા. પોલીસની પૂછપરછમાં વિદ્યાર્થિની બે બહેન અને એક ભાઈમાં મોટી બહેન હતી. તેણી ધોરણ 11માં અભ્યાસ કરતી હતી. તેના પિતા ગલ્લો ચલાવે છે. પૂરા ઘરનું ગુજરાન જવાબદારી મૃતક વિદ્યાર્થિનની પિતા પર છે. તેની પરિસ્થિતિ એવી હતી કે પૂરા ઘરમાં એક જ મોબાઇલ ફોન હતો. એક જ મોબાઇલ માંથી તમામ ભાઇ-બહેન અભ્યાસ કરતા હતા. પીએસઆઇ એ.પી ગોહેલ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.