Not Set/ યુપીનાંં રાજ્યપાલ આનંદીબેનને રાજભવન છોડી દેવા મળી ધમકી, 10 દિવસમાં કરાશે ડાઇનામાઇટ હુમલો

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો જોવામાં આવી રહી છે. અને સાથે સાથે દેશભરમાં કાયદો અને વ્યલસ્થાનાં નરાધમો દ્વારા ચિથડે ચિથડા ઉડાળવામાં આવી રહ્યા છે તે પણ જગજાહેર છે. ભારતનો કોઇ ભાગ મહિલા વિરુધ અપરાધથી બાકાત નથી. રેપ-ગેંગરેપના પડધા સંસદમાં પણ ગુંજતા સંભળાયા અને દેશનાં સર્વેચ્ચ સદન સંસદમાં સાંસદો દ્વારા બળાત્કારીઓને મોબલીંચીગની સજા થાય તેવી […]

Top Stories India
anandiben patel યુપીનાંં રાજ્યપાલ આનંદીબેનને રાજભવન છોડી દેવા મળી ધમકી, 10 દિવસમાં કરાશે ડાઇનામાઇટ હુમલો

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો જોવામાં આવી રહી છે. અને સાથે સાથે દેશભરમાં કાયદો અને વ્યલસ્થાનાં નરાધમો દ્વારા ચિથડે ચિથડા ઉડાળવામાં આવી રહ્યા છે તે પણ જગજાહેર છે. ભારતનો કોઇ ભાગ મહિલા વિરુધ અપરાધથી બાકાત નથી. રેપ-ગેંગરેપના પડધા સંસદમાં પણ ગુંજતા સંભળાયા અને દેશનાં સર્વેચ્ચ સદન સંસદમાં સાંસદો દ્વારા બળાત્કારીઓને મોબલીંચીગની સજા થાય તેવી તરફેણ કરવામાં આવી, એક રીતે આ ધટના ભારતનાં ભવિષ્ય માટે અતત્યંત મહત્વ પૂર્ણ છે.

કાશ્મીર અને સેવન સિસ્ટર સહિતનાં ઉત્તર પૂર્વી ભારતમા આતંકવાદ અને માઓવાદ હાહકાર મચાવી રહ્યા છે. ત્યારે આ દહેશત છેક, ભારતની મધ્યમાં પણ પહોંચી ગઇ છે. જી હા, ઉત્તર પ્રદેશમાં ઉગ્રવાદીઓ દ્વારા ડાઇનામાઇટ હુમલાની ધમકી આપવામાં આવી છે.  ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલને ધમકી ભર્યો પત્ર મળ્યો છે. જેમાં ધમકી આપવામાં આવી છે કે, તે 10 દિવસમાં રાજભવન છોડી દે.

ધમકી ઉગ્રવાદી સંગઠન TSPC દ્વારા પત્રનાં માધ્યમથી આપવામાં આવી છે. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ઉગ્રવાદી સંગઠન TSPC ઉત્તર પ્રદેશનાં રાજભવનને 10 દિવસમાં ડાઈનામાઈટથી ઉડાવી દેશે. આપને જણાવી દઇએ કે હાલ ઉત્તર પ્રદેશનાં રાજયપાલ ગુજરાતના પૂર્વ CM આનંદીબેન પટેલ છે. અને આ ધમકી પત્ર આનંદીબેન પટેલને મળ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.