- ભાવનગરમાં પાણીના કુંડાનું કરાયું વિતરણ
- પક્ષી માટે પાણી કુંડા વિતરણ કરાયું
- આદ્યશક્તિ ફાઉન્ડેશન દ્વારા કરાયું વિતરણ
- સાઈબાબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિતરણ કરાયું
- પક્ષીને પાણી મળી રહે તે હેતુથી કરાયું વિતરણ
માનવી તો ગરમી સામે એનકેન પ્રકારે રક્ષણ મેળવી લે છે. પરંતુ અબોલ પક્ષીઓની હાલત દયનીય બને છે, ત્યારે ભાવનગરમાં પક્ષી માટે કુંડા વિતરણ કરાયું હતું. ભાવનગર આદ્યશક્તિ ફાઉન્ડેશન અને સાઈબાબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાણીના કુંડા અને કુંડીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉનાવાની શરૂઆતથી જ કાળજાળ ગરમીને કારણે મનુષ્ય સાથે તમામ જીવો ને પાણી ની તરસ વધારે લાગતી હોય છે ત્યારે અબોલ પશુ પક્ષીઓને પણ પાણી ની ખૂબ જ જરૂરત પડતી હોય છે ત્યારે ભાવનગર આદ્યશક્તિ ફાઉન્ડેશન અને સાઈબાબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાણી કુંડા અને કુંડીનું વિતરણ કરવામાં આવ્યું.
ઋતુ ચકરમાં આવતો ઉનાળો શરૂ થઈ ગયો છે ત્યારે કાળઝાળ ગરમી થી ત્રાહિમામ તરસ્યા જીવો ને પાણીની જરૂરત ઊભી થતી હોય છે . પહેલાંના સમયમાં પૂર્વજો પાણીની પરબ બંધાવતા, પરબ પરમ પુણ્યનું કામ કહેવાય. આજનો માણસ પાણી ની તરસ છીપાવવા બોટલમાં સાથે હોય છે તો ક્યાંય પણ માંગીને અથવા ખરીદી ને પણ પોતાની તરસ છીપાવતો હિય છે પરંતુ અબોલ જીવોની વધારે તકલીફ પડતી હોય છે કારણ કે ગામડાઓમાં તળાવ, નદી,નહેર,અવેડા,પ્રબો રહેતા ત્યારે શહેરી વિસ્તરમાં આવી સુવિધાઓ હોતી નથી ત્યારે મૂંગા જીવો માટે પાણીની કુંડીઓ પરબ ની ગરજ સારે.
આવા મૂંગા જીવો માટે ભાવનગર આદ્યશક્તિ ફાઉન્ડેશન અને સાંઈબાબા ચેરીતરેબલ ટ્રસ્ટ દ્વારા પંખીઓ,સ્વાન અને ગૌવંશ માટે ત્રણ અલગ અલગ સાઈઝ ના પાણીના પાત્ર નું વિતરણ કરવામાં આવ્યું તેમજ શહેરી વિસ્તરમાં બહુમાળી બિલ્ડીંગો બની જતા પક્ષી ઓને અનુકૂળ વૃક્ષો ઘટી ગયા છે મટે માટી ના પક્ષી ઘર નું પણ વિતરણ કરવામાં આવ્યું.
આ પણ વાંચો:હોળી ધુળેટીના દિવસે ખડેપગે રહેશે 108 એમ્બ્યુલન્સ
આ પણ વાંચો:દેવાયત ખવડનો જેલમાંથી છૂટ્યા પ્રથમ ડાયરો, પુષ્પા સ્ટાઈલમાં કહ્યું “ઝુકેગા નહીં સાલા”
આ પણ વાંચો:રાજ્ય સરકાર માતૃશક્તિના સમગ્રતયા ગૌરવ-સન્માન માટે સંકલ્પબદ્ધ: CM ભૂપેન્દ્ર પટેલ
આ પણ વાંચો:વાયરલ ફીવરના કેસોમાં તીવ્ર વધારો, સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ