વિશ્વભરમાંથી લાખો લોકો દર વર્ષે મક્કા અને મદીનાની હજયાત્રાએ જાય છે. ગરમીના દિવસોમાં પણ ભારે ભીડ એકઠી થાય છે, પરંતુ મસ્જિદો અને પરિસરમાં સફેદ માર્બલના કારણે લોકોને અહીં ચાલવામાં કોઈ તકલીફ પડતી નથી. આ આરસના પથ્થરો ઉનાળાના ગરમ દિવસોમાં પણ ઠંડા રહે છે. આવી સ્થિતિમાં સવાલ એ પણ ઉઠે છે કે આ માર્બલ પથ્થરોની શું ખાસિયત છે કે તે ઉનાળામાં પણ ઠંડક આપે છે. કેટલાક લોકો દાવો કરે છે કે પાણીની પાઈપ નીચે નાખવામાં આવી છે જેમાંથી ઠંડુ પાણી વહે અને ઠંડક જળવાઈ રહે છે.
પરંતુ મક્કા અને મદીનાની મસ્જિદોના પથ્થરોમાં ઠંડકનું એવું કોઈ કારણ નથી. તેનું કારણ આ પથ્થરોની વિશેષતા છે. આ ખાસ પથ્થરો એજિયન સમુદ્રમાં જોવા મળે છે. તેમની વિશેષતા એ છે કે તેઓ અત્યંત ચમકદાર છે. આને બરફીલા સફેદ આરસ પણ કહેવામાં આવે છે, જે ચમકદાર અને બરફની જેવા સફેદ હોય છે. તેમની મહાન વિશેષતા એ છે કે તેઓ ગરમીને શોષતા નથી. આ કારણે તેઓ કોઈપણ ઋતુમાં ઠંડી રહે છે અને ખાસ કરીને ઉનાળાની ઋતુમાં લોકોને તેનાથી ઘણી રાહત મળે છે.
આ પથ્થરોનો ઉપયોગ ગ્રીસમાં સદીઓથી થતો આવ્યો છે
આ પથ્થરોનો ઉપયોગ ગ્રીસમાં લાંબા સમયથી કરવામાં આવે છે. તેનો ઉપયોગ સદીઓથી કરવામાં આવે છે, ખાસ કરીને તે વિસ્તારોમાં જ્યાં તીવ્ર ગરમી હોય છે. ઈસ્તાંબુલની હાગિયા સોફિયા મસ્જિદ પણ આ પથ્થરોથી બનાવવામાં આવી હતી. આ સિવાય આ પથ્થરોનો ઉપયોગ કરીને ઘણી ઐતિહાસિક ઈમારતો બનાવવામાં આવી છે. જો કે તેની કિંમત ઘણી વધારે છે. આ જ કારણ છે કે કોઈ પણ સામાન્ય માણસ તેમના ઘરમાં તેનો ઉપયોગ કરી શકતો નથી. એક માર્બલ કંપનીના જણાવ્યા અનુસાર તેની કિંમત 250 થી 400 ડોલર પ્રતિ ચોરસ મીટર છે.
55 ડિગ્રી સુધીના તાપમાનમાં પણ ગરમ નથી થતા…
સાઉદી અરેબિયા દાયકાઓથી આ પથ્થરોની આયાત કરી રહ્યું છે. આ મસ્જિદોમાં પથ્થરોનો ઉપયોગ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે અહીં લોકોને ખુલ્લા પગે ચાલવું પડે છે અને ગરમીમાં તેમને ઘણી મુશ્કેલી પડી શકે છે. તેનાથી બચવા માટે જ આ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મક્કા અને મસ્જિદોની જાળવણી સાથે જોડાયેલા એક અધિકારી ફરાસ અલ સૈદીએ કહ્યું કે આ પથ્થરો એવા છે કે તાપમાન 50 કે 55 ડિગ્રી સુધી પહોંચી જાય તો પણ તેના પર ગરમીની વધુ અસર થતી નથી.
આ પણ વાંચોઃ Delhi London Air India Flight/ દિલ્હીથી લંડન જતી ફ્લાઈટમાં હોબાળો, પેસેન્જર-ક્રુ મેમ્બર સાથે કરી મારામારી અને…
આ પણ વાંચોઃ રિન્કુ સામે ગુજરાત બન્યું પિન્કુ/ અંતિમ ઓવરમાં સળંગ પાંચ છગ્ગા ફટકારી ગુજરાત સામે કેકેઆરને જીત અપાવતો રિંકુ
આ પણ વાંચોઃ ગીર સોમનાથ/ હિંદુવાદી નેતા કાજલ હિન્દુસ્તાનીની પોલીસે કરી ધરપકડ, જાણો શુ લાગ્યો આરોપ
આ પણ વાંચોઃ શિંદે-ઉદ્ધવ/ અયોધ્યામાં શિંદેના ઉદ્ધવ પર પ્રહારઃ પિતાને આપેલું વચન ન નીભાવ્યું