Gujarat News: આજે ક્ષત્રિય સમાજ કેસરિયા સાફા પહેરી ભાજપ વિરૂદ્ધ મતદાન કરશે. ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાન રમજુભા જાડેજાએ આ નિવેદન આપ્યું. આ તરફ પી.ટી. જાડેજાએ કહ્યું કે, આજે ક્ષત્રિય સમાજના લોકો મત પેટી પાસે જશે એટલે તેમને બેટી દેખાશે અને ભાજપ વિરુદ્ધ જ મતદાન થશે. અંતિમ ક્ષણે પણ ક્ષત્રિય સમાજનો વિરોધ જારી રહ્યો છે. છતાં પણ રાજવીઓની અપીલને માન આપીને રાષ્ટ્ર હિતમાં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં ક્ષત્રિય સમાજનો ઘણો બધો હિસ્સો ભાજપની તરફેણમાં મતદાન કરવાનું મન ધરાવે છે.
આમ છતાં ગુજરાતમાં સામાન્ય વાતાવરણ મહદઅંશે ભાજપ એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, પીએમ મોદીના જંગી સભાઓએ આ વાત પુરવાર પુરવાર કરી છે કે તેના પનોતા પુત્રને ક્યારેય અન્યાય નહીં કરે, ગુજરાતીઓએ પોતાના અંગત હિત કરતાં રાષ્ટ્રહિતને સર્વોપરી ગણ્યું છે તેવો પીએમ મોદીને વિશ્વાસ છે.
આ પણ વાંચો:આંગળી પર શાહીનું નિશાન બતાવી આજે AMTSમાં મફત મુસાફરી કરો!
આ પણ વાંચો:રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જશે, જલ્દીથી મતદાન કરી લો…