નવી દિલ્હીઃ મુખ્ય ચૂંટમી આયગ આજે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને ઉત્તરપ્રદેશ ,પંજાબ, ઉતરાખંડ, મનીપુર અને ગોવાની ચૂંટણીની જાહેરાત કરી શકે છે. આયોગ ઉત્તરપ્રદેશમાં 7 તબક્કામાં અને બાકીના રાજ્યમાં એક તબક્કામાં ચૂંટણી યોજવાની તૈયારી કરી રહી છે.
મણિપુરની સ્થિતિને ધ્યાનમાં રાખતા પૂર્વોત્તરના આ રાજ્યમાં એકથી વધારે તબક્કામાં ચૂંટણી થઈ શકે છે. હાલમાં આ અંગે સત્તાવાર રીતે કોઈ જાણકારી મળી નથી.
ઉલ્લેખનીય છે કે, યૂપી વિધાનસભાનો કાર્યકાળ 27 મેના રોજ પૂરો થઈ રહ્યો છે. જ્યારે બાકીના ચાર રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ માર્ચ સુધી પૂરો થઈ રહ્યો છો.