ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021 ની અંતિમ મેચ આજે રમાવાની છે. મહેન્દ્ર સિંહ ધોની કે ઈયોન મોર્ગન IPL ટ્રોફી ઉપાડશે કે નહીં તે થોડા કલાકોમાં નક્કી થઈ જશે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે ટાઇટલ યુદ્ધ થવાનું છે, પરંતુ તે પહેલા ધોની એન્ડ કંપની સામે મોટો પ્રશ્ન ઉભો થયો છે. IPL ની આ અંતિમ મેચમાં સુરેશ રૈના પ્લેઈંગ ઈલેવનમાં પરત ફરશે કે નહીં?
આ પણ વાંચો – IPL 2021 / ફાઇનલમાં પહોંચી ટ્રોફી જીતવાનો KKR નો છે 100 ટકા રેકોર્ડ, શું ધોની તોડી શકશે આ રેકોર્ડ?
આ પ્રશ્ન તમામ ક્રિકેટ ચાહકોનાં મનમાં ઉભો થતો હશે. રોબિન ઉથપ્પાએ પ્રથમ ક્વોલિફાયરમાં જે પ્રકારની ઇનિંગ્સ રમી હતી તે પછી, ધોની ભાગ્યે જ વિજેતા ટીમ સાથે કોઇ ફેરફાર કરવા ઇચ્છશે. રૈનાને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવા માટે ઉથપ્પાને બેન્ચ પર બેસવું પડશે. IPL ની વર્તમાન સીઝન રૈના માટે કંઈ ખાસ રહી નથી, તેણે 11 ઈનિંગ્સમાં 17.77 ની સાધારણ એવરેજ અને 125 નાં સ્ટ્રાઈક રેટથી માત્ર 160 રન બનાવ્યા છે. ઉથપ્પાએ ત્રણ મેચમાં 28 ની સરેરાશથી 84 રન બનાવ્યા છે. દિલ્હી કેપિટલ્સ સામેનાં પ્રથમ ક્વોલિફાયરમાં ઉથપ્પાએ 44 બોલમાં 63 રન બનાવ્યા અને ઋતુરાજ ગાયકવાડ સાથે મળીને વિજયનો પાયો નાખ્યો. ધોની ભાગ્યે જ વિજેતા ટીમ સાથે કોઇ ફેરફાર કરે છે, જે જોતા કહી શકાય છે કે રૈનાને ફાઇનલમાં બેન્ચ પર બેસવું પડી શકે છે. ધોનીએ આ સીઝનમાં બે વખત ફિનિશર તરીકે કામ કર્યું છે અને અંતિમ ક્ષણે ટીમને જીત તરફ દોરી છે. દિલ્હી કેપિટલ્સ સામેની પ્રથમ ક્વોલિફાયરમાં ધોનીએ 6 બોલમાં અણનમ 18 રન બનાવી ટીમને જોરદાર જીત અપાવી હતી અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે અણનમ 14 રન બનાવીને પોતાના જૂના રંગમાં પરત ફરવાના સંકેતો પણ દર્શાવ્યા હતા. હૈદરાબાદ સામે, ધોનીએ સિક્સર સાથે ટીમને જીત તરફ દોરી અને પ્લેઓફની ટિકિટ મેળવી.
આ પણ વાંચો – World Cup / વર્લ્ડકપમાં ભારત સામે 12 વાર હાર્યા બાદ પણ પાકિસ્તાનનું નથી તૂટી રહ્યું ઘમંડ, બાબરે શું કર્યો મોટો દાવો ?
વળી, દિલ્હી કેપિટલ્સ સામે, ધોનીએ એક ફોર સાથે મેચ જીતી અને ફાઇનલની ટિકિટ કાપી હતી. ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુ પ્લેસિસે સાથે મળીને ટીમને અત્યાર સુધી સારી શરૂઆત અપાવી છે, તેથી ફરી એકવાર બંને પાસેથી એવી જ અપેક્ષા રાખવામાં આવશે. મોઈન અલી CSK માટે આ સીઝનમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થયો છે, તેણે માત્ર બોલિંગમાં જ અદ્ભુત પ્રદર્શન કર્યું નથી, જરૂર પડે ત્યારે બેટિંગમાં પણ તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. જોશ હેઝલવુડ, દીપક ચાહર અને શાર્દુલ ઠાકુર પેસ એટેક માટે જવાબદાર રહેશે અને CSK પાસે ડ્વેન બ્રાવો અને રવિન્દ્ર જાડેજા જેવા વિશ્વનાં બે શ્રેષ્ઠ ઓલરાઉન્ડર પણ છે. આવી સ્થિતિમાં, CSK ટીમ એકદમ સંતુલિત દેખાય છે.